સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર : સ્વાધ્યાય
૧. યોગ્ય જોડકાં જોડો :
| અ | બ |
|---|---|
| (1) તરણેતરનો મેળો | (F) સુરેન્દ્રનગર |
| (2) ચિત્ર-વિચિત્રનો મેળો | (A) સાબરકાંઠા |
| (3) મીરાદાતારનો ઉર્સ મુબારક | (D) મહેસાણા |
| (4) પલ્લીનો મેળો | (E) ગાંધીનગર |
| (5) ભવનાથનો મેળો | (C) જૂનાગઢ |
| (6) વૌઠાનો મેળો | (B) અમદાવાદ |
૨. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :
-
(1) કાંગડા શૈલીની વિશેષતા જણાવો.
કાંગડા શૈલીની વિશેષતા વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ છે. -
(2) કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા 'વલ્લમકાલી' તરીકે ઓળખાય છે. -
(3) વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?
વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ 'લીલાતિલકમ્' હતું. -
(4) ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.
ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ હતા. -
(5) કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?
કથક જયપુર અને લખનઉના બે ઘરાનાઓમાં વહેંચાયું હતું.
૩. ખાલી જગ્યા પૂરો :
-
(1) શૂરવીરોની ગાથા ............ અને ............ દ્વારા ગાવામાં આવતી હતી.
ચારણો અને બારોટો -
(2) રાજા અનંત વર્મને ............ નું નિર્માણ કરાવ્યું.
જગન્નાથ મંદિર -
(3) કુચીપુડીનો ઉદ્ભવ ............ ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
આંધ્રપ્રદેશ