સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર : સ્વાધ્યાય


૧. યોગ્ય જોડકાં જોડો :

(1) તરણેતરનો મેળો (F) સુરેન્દ્રનગર
(2) ચિત્ર-વિચિત્રનો મેળો (A) સાબરકાંઠા
(3) મીરાદાતારનો ઉર્સ મુબારક (D) મહેસાણા
(4) પલ્લીનો મેળો (E) ગાંધીનગર
(5) ભવનાથનો મેળો (C) જૂનાગઢ
(6) વૌઠાનો મેળો (B) અમદાવાદ

૨. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :

  • (1) કાંગડા શૈલીની વિશેષતા જણાવો.

    કાંગડા શૈલીની વિશેષતા વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ છે.
  • (2) કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?

    કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા 'વલ્લમકાલી' તરીકે ઓળખાય છે.
  • (3) વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?

    વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ 'લીલાતિલકમ્' હતું.
  • (4) ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.

    ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ હતા.
  • (5) કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?

    કથક જયપુર અને લખનઉના બે ઘરાનાઓમાં વહેંચાયું હતું.

૩. ખાલી જગ્યા પૂરો :

  • (1) શૂરવીરોની ગાથા ............ અને ............ દ્વારા ગાવામાં આવતી હતી.

    ચારણો અને બારોટો
  • (2) રાજા અનંત વર્મને ............ નું નિર્માણ કરાવ્યું.

    જગન્નાથ મંદિર
  • (3) કુચીપુડીનો ઉદ્ભવ ............ ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.

    આંધ્રપ્રદેશ