ધોરણ 7 સામાજિક વિજ્ઞાન : સત્ર 2ની બ્લ્યુપ્રિન્ટ મુજબના પ્રશ્નો

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન : સત્ર 2ની બ્લ્યુપ્રિન્ટ (2025-26) મુજબના પ્રશ્નો

પ્રશ્ન ક્રમાંક 1 (A) પ્રકરણ 5: “આદિવાસી - અનુસૂચિત જનજાતિઓ”માંથી પૂછાશે. કુલ 5 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 1 ગુણ) = કુલ 05 ગુણ

પ્રશ્ન ક્રમાંક 1 (B) પ્રકરણ 6: “વિચરતી અને વિમુક્ત જાતિઓ” માંથી પૂછાશે. કુલ 5 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 1 ગુણ) = કુલ 05 ગુણ

(૧) બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

1. ભારતની પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? A) વિચરતી જાતિઓ B) અનુસૂચિત જનજાતિઓ C) વિમુક્ત જાતિઓ D) વિદેશી જાતિઓ

જવાબ: B) અનુસૂચિત જનજાતિઓ

2. પંજાબમાં 13મી અને 14મી સદી દરમિયાન કઈ જનજાતિઓ મુખ્ય હતી? A) ગોંડ અને ભીલ B) ખોખર અને ગખ્ખર C) નાગા અને મિઝો D) કોળી અને બેરાદ

જવાબ: B) ખોખર અને ગખ્ખર

3. અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? A) રાજા માનસિંહને B) કમાલખાં ગખ્ખરને C) દુર્ગાવતીને D) મીર જુમલાને

જવાબ: B) કમાલખાં ગખ્ખરને

4. પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ મુખ્ય હતી? A) ગડ્ડી ગડરિયો B) ચેર C) અહોમ D) ખોખર

જવાબ: A) ગડ્ડી ગડરિયો

5. ઈ.સ. 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે કઈ જાતિ પર હુમલો કરી પરાજય આપ્યો હતો? A) અહોમ B) ગોંડ C) ચેર D) ભીલ

જવાબ: C) ચેર

6. ગોંડ રાજ્યમાં દરેક ગઢ કેટલા ગામોના એકમમાં વહેંચાયેલો હતો? A) ૧૨ B) ૮૪ C) ૭૦,૦૦૦ D) ૨૮

જવાબ: B) ૮૪

7. ગઢકટંગાના કયા ગોંડ રાજાએ 'સંગ્રામશાહ' ની પદવી ધારણ કરી હતી? A) દલપત B) અમનદાસ C) શિબસિંહ D) કમાલખાં

જવાબ: B) અમનદાસ

8. કયા ગોંડ રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું? A) અહોમ B) ડાંગ C) ગઢકટંગા D) ગોંડવાના

જવાબ: C) ગઢકટંગા

9. અહોમ સમાજમાં કુળને શું કહેવામાં આવતું? A) ગઢ B) ચોર્યાસી C) ખેલ D) પાઈક

જવાબ: C) ખેલ

10. અંગ્રેજ સરકારે કયા કાયદા અંતર્ગત કેટલીક વિચરતી જાતિઓને ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? A) ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ-1871 B) અનુસૂચિત જાતિ એક્ટ-1952 C) વન્યજીવ સંરક્ષણ એક્ટ D) એક પણ નહીં

જવાબ: A) ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ-1871

11. ભારત સરકારે વિચરતી જાતિઓને કયા વર્ષમાં કાળા કાયદામાંથી મુક્ત કરી 'વિમુક્ત જાતિઓ' નું સન્માન આપ્યું? A) 1871 B) 1947 C) 1952 D) 2020

જવાબ: C) 1952

12. વણજારાનો સમૂહ કયા નામે ઓળખાતો હતો? A) કાફલો B) ટાંડું C) ખેલ D) ગઢ

જવાબ: B) ટાંડું

13. દિલ્લીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે અલાઉદ્દીન ખલજી કોનો ઉપયોગ કરતો હતો? A) નટ બજાણિયાનો B) વણજારાનો C) કાંગસિયાનો D) ભીલનો

જવાબ: B) વણજારાનો

14. બજારમાં રસ્તા પર દોરડા પર કરતબ કરતા લોકો કઈ જાતિના હોય છે? A) વણજારા B) નટ C) દેવીપૂજક D) શિકારી

જવાબ: B) નટ

15. કાંસકી અને સૌંદર્ય-પ્રસાધનો વેચવાનું કાર્ય કઈ વિચરતી જાતિ કરે છે? A) વાંસફોડા B) ભવૈયા C) કાંગસિયા D) ગારુડી

જવાબ: C) કાંગસિયા

(૨) ખાલી જગ્યા પૂરો:

1. ડાંગમાં યોજાતા ડાંગ-દરબારમાં રાજાઓને વંશ પરંપરાગત ________ આપવામાં આવે છે. (સાલિયાણું)

2. મૈદાની અને અરણ્ય વિસ્તારોમાં ________ જાતિઓનું પ્રભુત્વ હતું. (ભીલ)

3. અહોમ લોકો 13મી સદીમાં હાલના ________દેશમાંથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ-વિસ્તારમાં વસ્યા હતા. (મ્યાનમાર)

4. અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરાવતું તે ________ કહેવાતા. (પાઈક)

5. અહોમ ભાષામાં લખાયેલી ઐતિહાસિક કૃતિનું નામ ________છે. (બુરંજી)

6. ગુજરાત રાજ્યમાં વર્ષ 2020 સુધીમાં વિચરતી જાતિઓમાં ________જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. (28)

7. વણજારા લોકો ભારત અને ________ વચ્ચેની કડી હતા. (વિશ્વ)

8. બાદશાહ ________ એ પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. (જહાંગીર)

9. ગોંડ રાજ્યમાં દરેક ચોર્યાસી બાર-બાર ગામના એક પેટા એકમ ________માં વહેંચવામાં આવતી. (બારહોતો)

(૩) ખરાં-ખોટાં જણાવો:

1. આદિવાસીઓનો ઈતિહાસ લખવા માટે લેખિત દસ્તાવેજો ખૂબ મોટા પ્રમાણમાં મળી આવે છે. (ખોટું)

2. મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિઓનું આધિપત્ય હતું. (ખરું)

3. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ ન હતો અને ત્યાં કવિઓ-વિદ્વાનોને કોઈ સન્માન નહોતું. (ખોટું)

4. નટ લોકો જાદુ કરવા અને લાકડી પર ચાલવા જેવા મનોરંજનના કરતબો કરે છે. (ખરું)

5. કાંગસિયા મોટેભાગે ઢોર-ઢાંખર અને પશુપાલન સાથે સંકળાયેલા છે. (ખોટું)

6. અકબરના સમયમાં ગઢકટંગામાં 70,000 જેટલાં ગામડાંઓનો સમાવેશ થતો હતો. (ખરું)

7. મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હાર્યા હતા. (ખરું)

(૪) એક-બે વાક્યમાં / એક શબ્દમાં ઉત્તર આપો:

1. વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય છે?

જવાબ: જીવનનિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી કે વિમુક્ત જાતિ કહેવામાં આવે છે.

2. ભારતની મુખ્ય વિચરતી જાતિઓ કઈ-કઈ છે?

જવાબ: અઘોરી, બહુરૂપી, વણજારા, ભરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બેરાગી, પારઘી વગેરે.

3. ગુજરાતમાં જોવા મળતી મુખ્ય વિચરતી જાતિઓનાં નામ આપો.

જવાબ: બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા અને સલાટ વગેરે.

4. મધ્ય ભારતની કઈ જનજાતિમાં શિકાર અને અન્નસંગ્રહ જેવી પ્રવૃત્તિઓ જોવા મળતી?

જવાબ: ભીલ જનજાતિમાં.

5. દક્ષિણ ભારતમાં કઈ-કઈ જનજાતિઓ રહેતી હતી?

જવાબ: કોળી, બેરાદ, કોરાગા, વેતર અને મારવાર વગેરે જનજાતિઓ.

6. ગોંડ જનજાતિ કેવા પ્રકારની ખેતી કરતી હતી?

જવાબ: ગોંડ જનજાતિ સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી) કરતી હતી.

7. મહોબાના કયા ચંદેલ રાજપૂત રાજાની પુત્રી દુર્ગાવતીનાં લગ્ન દલપત સાથે થયા હતા?

જવાબ: રાજા સાલવાહનની પુત્રી.

8. કયા રાજાના સમયમાં હિન્દુ ધર્મ અહોમ લોકોનો મુખ્ય ધર્મ બની ગયો હતો?

જવાબ: રાજા શિબસિંહ (ઈ.સ. 1714 - ઈ.સ. 1744) ના સમયમાં.

9. દેવીપૂજક જાતિનો મુખ્ય વ્યવસાય શું જોવા મળે છે?

જવાબ: શાકભાજીનું ઉત્પાદન અને વેપાર.

(૫) યોગ્ય જોડકાં જોડો:

જોડકું - ૧

અ (જનજાતિ / રાજ્ય) બ (સંબંધિત બાબત) જવાબ
(1) ગઢકટંગા (A) બુરંજી કૃતિ (1) - (C)
(2) ગોંડ રાજા અમનદાસ (B) ચોર્યાસી (2) - (D)
(3) અહોમ (C) ૭૦,૦૦૦ ગામડાં (3) - (A)
(4) અહોમ સમાજનું કુળ (D) સંગ્રામશાહની પદવી (4) - (E)
(E) ખેલ

જોડકું - ૨

અ (જાતિ) બ (ઓળખ / વ્યવસાય) જવાબ
(1) વણજારા (A) સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ (1) - (B)
(2) કાંગસિયા (B) ટાંડું (2) - (A)
(3) નટ (C) શાકભાજીનો વેપાર (3) - (D)
(4) દેવીપૂજક (D) દોરડા પર કરતબ (4) - (C)
(E) સ્થળાંતરિત ખેતી
પ્રશ્ન ક્રમાંક 2 પ્રકરણ 7: “ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો” માંથી પૂછાશે. કુલ 8 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 1 ગુણ) = કુલ 08 ગુણ

■ બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. દક્ષિણ ભારતમાં 8મી સદીમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરૂ કરી? (A) રામાનુજાચાર્ય (B) શંકરાચાર્ય (C) રામાનંદ (D) તુલસીદાસ

જવાબ: (B) શંકરાચાર્ય

૨. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિમાર્ગનો સરળ ઉપદેશ આપ્યો? (A) રામાનુજાચાર્ય (B) વલ્લભાચાર્ય (C) જ્ઞાનેશ્વર (D) રામદાસ

જવાબ: (A) રામાનુજાચાર્ય

૩. દક્ષિણ ભારતમાં ભક્તિ-આંદોલન ફેલાવનાર 'અલવાર' સંતો કયા ધર્મના હતા? (A) શૈવ (B) વૈષ્ણવ (C) બૌદ્ધ (D) જૈન

જવાબ: (B) વૈષ્ણવ

૪. દક્ષિણ ભારતમાં 'નયનાર' સંતો કયા ધર્મના હતા? (A) વૈષ્ણવ (B) ઇસ્લામ (C) શૈવ (D) શીખ

જવાબ: (C) શૈવ

૫. બંગાળમાં કૃષ્ણભક્તિનાં ગીતો રચીને 'હરિબોલ'નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? (A) જયદેવ (B) ચૈતન્ય મહાપ્રભુ (C) સંત રૈદાસ (D) મીરાંબાઈ

જવાબ: (B) ચૈતન્ય મહાપ્રભુ

૬. ઉત્તર ભારતમાં ભક્તિ-આંદોલનના શ્રીગણેશ કોણે કર્યા હતા? (A) રામાનંદ (B) કબીર (C) તુલસીદાસ (D) સૂરદાસ

જવાબ: (A) રામાનંદ

૭. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંત કોણ હતા, જેઓ વ્યવસાયે વણકર હતા? (A) સંત રૈદાસ (B) ગુરુનાનક (C) કબીર (D) તુકારામ

જવાબ: (C) કબીર

૮. સંત કબીરનો કવિતાસંગ્રહ કયા નામે જાણીતો છે? (A) રામચરિતમાનસ (B) દાસબોધ (C) બીજક (D) અભંગ

જવાબ: (C) બીજક

૯. શીખ ધર્મના સ્થાપક અને નિર્ગુણ શાખાના સંત કોણ હતા? (A) ગુરુગોવિંદ સિંહ (B) ગુરુનાનક (C) કબીર (D) નામદેવ

જવાબ: (B) ગુરુનાનક

૧૦. 'રામચરિતમાનસ' અને 'વિનયપત્રિકા' જેવા પ્રખ્યાત ગ્રંથોની રચના કોણે કરી હતી? (A) સૂરદાસ (B) તુલસીદાસ (C) રામાનંદ (D) શંકરાચાર્ય

જવાબ: (B) તુલસીદાસ

૧૧. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? (A) નરસિંહ મહેતા (B) દયારામ (C) મીરાંબાઈ (D) અખો

જવાબ: (A) નરસિંહ મહેતા

૧૨. શિવાજીના ગુરુ કોણ હતા, જેમણે 'દાસબોધ' નામના ગ્રંથની રચના કરી હતી? (A) તુકારામ (B) એકનાથ (C) સમર્થ ગુરુ રામદાસ (D) જ્ઞાનેશ્વર

જવાબ: (C) સમર્થ ગુરુ રામદાસ

૧૩. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કેટલી હતી? (A) બે (B) ત્રણ (C) ચાર (D) પાંચ

જવાબ: (C) ચાર

૧૪. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? (A) નિઝામુદ્દીન ઓલિયા (B) મોઇનુદ્દીન ચિશ્તી (C) શિયાબુદ્દીન સુહરાવર્દી (D) બાબા ફરીદ

જવાબ: (B) મોઇનુદ્દીન ચિશ્તી

■ ખાલી જગ્યા પૂરો:

૧૫. શંકરાચાર્યનું જન્મસ્થળ _________ હતું. જવાબ: કાલડી

૧૬. રામાનુજાચાર્યના માતાનું નામ _________ હતું. જવાબ: કાન્તિમતિ

૧૭. સંત રૈદાસ એ સંત _________ના ગુરુભાઈ હતા. જવાબ: કબીર

૧૮. ગુરુનાનકના શિષ્યો _________કહેવાતા. જવાબ: શીખ

૧૯. શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ _________ છે. જવાબ: ગુરુ ગ્રંથસાહિબ

૨૦. બગદાદમાં શિયાબુદ્દીન સુહરાવર્દીએ _________ પરંપરાની સ્થાપના કરી હતી. જવાબ: સુહરાવર્દી

૨૧. તુકારામ મહારાષ્ટ્રના સંત હતા, જેમના રચેલા _________ ખૂબ જ જાણીતા છે. જવાબ: અભંગો

■ ખરાં-ખોટાં જણાવો:

૨૨. અલવાર સંતો શૈવ હતા અને નયનાર સંતો વૈષ્ણવ હતા. જવાબ: ખોટું (અલવાર વૈષ્ણવ હતા અને નયનાર શૈવ હતા)

૨૩. સંત કબીર ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. જવાબ: ખરું

૨૪. નરસિંહ મહેતાનો જન્મ પોરબંદરમાં થયો હતો. જવાબ: ખોટું (તેમનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો)

૨૫. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. જવાબ: ખરું

૨૬. એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા, જેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. જવાબ: ખરું

■ એક-બે શબ્દોમાં / વાક્યમાં ઉત્તર આપો:

૨૭. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું હતું?

જવાબ: પેરુમલતૂર

૨૮. મીરાંબાઈ કોના પરમ ભક્ત હતાં?

જવાબ: કૃષ્ણના

૨૯. શંકરાચાર્યના પિતાનું અને માતાનું નામ શું હતું?

જવાબ: પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ (આઈઅમ્બા) હતું.

૩૦. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ૪ પરંપરાઓ કઈ કઈ હતી?

જવાબ: (1) ચિશ્તી (2) સુહરાવર્દી (3) કાદરી અને (4) નકશબંદી.

૩૧. દક્ષિણ ભારતમાં કયા લોકપ્રિય ચિશ્તી સંત થઈ ગયા?

જવાબ: શેખ બુરહાનુદ્દીન ગરીબ.

■ યોગ્ય જોડકાં જોડો:

૩૨.

અ (સંતો) બ (જન્મસ્થળ / પ્રદેશ) જવાબ
(1) શંકરાચાર્ય(A) બંગાળ(1) - (B)
(2) રામાનુજાચાર્ય(B) કાલડી(2) - (D)
(3) ચૈતન્ય મહાપ્રભુ(C) તળાજા(3) - (A)
(4) નરસિંહ મહેતા(D) પેરુમલતૂર(4) - (C)
(E) મહારાષ્ટ્ર

૩૩.

અ (સંત / કવિ) બ (તેમની રચના) જવાબ
(1) સંત કબીર(A) રામચરિતમાનસ(1) - (C)
(2) તુલસીદાસ(B) અભંગ(2) - (A)
(3) સમર્થ ગુરુ રામદાસ(C) બીજક(3) - (D)
(4) તુકારામ(D) દાસબોધ(4) - (B)
(E) ગુરુ ગ્રંથસાહિબ

૩૪.

અ (સમુદાય / સંત) બ (ઓળખ / સંબંધિત બાબત) જવાબ
(1) અલવાર સંતો(A) શૈવ ધર્મના સંતો(1) - (D)
(2) નયનાર સંતો(B) અજમેરમાં ચિશ્તી પરંપરા(2) - (A)
(3) ગુરુનાનક(C) શીખ ધર્મના સ્થાપક(3) - (C)
(4) મોઇનુદ્દીન ચિશ્તી(D) વૈષ્ણવ ધર્મના સંતો(4) - (B)
(E) રામદાસના શિષ્ય

૩૫.

અ (નામ) બ (સંબંધિત બાબત / ઓળખ) જવાબ
(1) શિવગુરુ(A) રામાનુજાચાર્યનાં માતા(1) - (D)
(2) કાન્તિમતિ(B) કૃષ્ણ ભક્તિનાં પદો(2) - (A)
(3) શિયાબુદ્દીન(C) સુહરાવર્દી પરંપરાના સ્થાપક(3) - (C)
(4) મીરાંબાઈ(D) શંકરાચાર્યના પિતા(4) - (B)
(E) બગદાદના ખલીફા
પ્રશ્ન ક્રમાંક 3 પ્રકરણ 8: “પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર” માંથી પૂછાશે. કુલ 4 ટૂંકજવાબી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 2 ગુણ) = કુલ 08 ગુણ

■ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (દરેક પ્રશ્નના 2 ગુણ):

૧. પ્રશ્ન: ભારતીય મંદિર-સ્થાપત્યની મુખ્ય શૈલીઓ કઈ-કઈ છે?

જવાબ: ભારતીય મંદિર-સ્થાપત્યની શરૂઆત ગુપ્તકાળથી થઈ હતી. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) નાગર શૈલી, (૨) દ્રવિડ શૈલી અને (૩) વેસર શૈલી.

૨. પ્રશ્ન: નાગર શૈલી કોને કહેવામાં આવે છે? તેનાં અગત્યનાં મંદિરોનાં ઉદાહરણ આપો.

જવાબ: ઈ.સ. 5મી સદી પછી ઉત્તર ભારત (હિમાલય)થી માંડી વિંધ્ય સુધી જે મંદિર-સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને 'નાગર શૈલી' તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનાં મંદિરોમાં જગન્નાથ મંદિર (પુરી), કોણાર્ક (ઓડિસા) અને સૂર્યમંદિર (મોઢેરા, ગુજરાત), તેમજ ખજૂરાહોનું મહાદેવ મંદિર (મધ્યપ્રદેશ) વગેરેનો સમાવેશ થાય છે.

૩. પ્રશ્ન: નાગર શૈલીનાં મંદિરોની મુખ્ય વિશેષતા શું હતી?

જવાબ: નાગર શૈલીનાં મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીનાં બનાવવામાં આવતાં હતાં. આ ઉપરાંત આ શૈલીનાં મંદિરોના શિખર ઈંડાકાર આકારમાં બનાવવામાં આવતાં હતાં.

૪. પ્રશ્ન: દ્રવિડ શૈલીના મંદિર-સ્થાપત્ય વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ: દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલી તામિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરલ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોથી લઈને કન્યાકુમારી સુધી વિસ્તરેલી હતી.

૫. પ્રશ્ન: દ્રવિડ શૈલીથી બંધાયેલાં મુખ્ય મંદિરોનાં નામ જણાવો.

જવાબ: દ્રવિડ શૈલીનાં મંદિરોમાં બૃહદેશ્વર અથવા રાજરાજેશ્વરનું મંદિર (તામિલનાડુ), મીનાક્ષી મંદિર (મદુરાઈ), અને મહાબલિપુરમનું રથમંદિર (તામિલનાડુ) વગેરે અગત્યનાં મંદિરોનો સમાવેશ થાય છે.

૬. પ્રશ્ન: વેસર શૈલી એટલે શું? તેનો વિકાસ કયા વિસ્તારોમાં થયો હતો?

જવાબ: મંદિર-સ્થાપત્યની જે શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે, તેને 'વેસર શૈલી' કહે છે. આ શૈલી 'કર્ણાટક શૈલી' તરીકે પણ ઓળખાય છે. તેનો વિકાસ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી થયો હતો.

૭. પ્રશ્ન: વેસર શૈલીનાં જાણીતાં મંદિરો કયાં કયાં છે?

જવાબ: વેસર શૈલીનાં અગત્યનાં મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર (હલેબીડુ, કર્ણાટક) અને ચેન્ના કેશવ મંદિર (બેલૂર, કર્ણાટક) વગેરેનો સમાવેશ થાય છે.

૮. પ્રશ્ન: મલયાલમ સંસ્કૃતિ અને ભાષા વિશે ટૂંકમાં જણાવો.

જવાબ: નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરલનો એક ભાગ હતું, અને તેમની ભાષા મલયાલમ હતી. કેરલમાં બોલાતી આ મુખ્ય ભાષા પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે, અને ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ “લીલાતિલકમ્” ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો.

૯. પ્રશ્ન: બંગાળી ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો હોવાનું માનવામાં આવે છે?

જવાબ: બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. પંદરમી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં જનજાતીય ભાષાઓ, પર્શિયન (ફારસી) ભાષા અને યુરોપિયન ભાષાઓનો પ્રભાવ પણ જોવા મળે છે.

૧૦. પ્રશ્ન: ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ કોના સમયમાં થયો હતો?

જવાબ: સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ અને નવો ‘સાહિત્યયુગ’ નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ જેવા ભક્તિ-સાહિત્યના કવિઓના હાથે વિકસ્યો હતો.

૧૧. પ્રશ્ન: જગન્નાથ રથયાત્રા વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ: ઓડિસાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે, જેમાં ‘જગન્નાથ’ નો અર્થ વિશ્વના માલિક (વિષ્ણુ) થાય છે. પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે.

૧૨. પ્રશ્ન: લઠમાર હોળી ક્યાં ઉજવાય છે અને તેની વિશેષતા શું છે?

જવાબ: ઉત્તરપ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી ‘લઠમાર હોળી’ તરીકે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે, જ્યાં નંદગામના પુરુષો રાધાજીના મંદિર પર ધજા ચઢાવવા આવે છે ત્યારે સ્ત્રીઓ દ્વારા લઠ(જાડી લાકડી)થી તેમનું સ્વાગત કરવામાં આવે છે.

૧૩. પ્રશ્ન: લોહડીનો તહેવાર કોણ અને ક્યારે ઉજવે છે?

જવાબ: લોહડીનો તહેવાર શીખ સમુદાય દ્વારા 13મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે.

૧૪. પ્રશ્ન: પોંગલ તહેવારની ઉજવણી કયા રાજ્યોમાં થાય છે?

જવાબ: પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે, અને તે ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. તે તમિલ મહિના ‘થાઇ’ના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે ‘પોંગલ’ નામની વાનગી બનાવવામાં આવે છે.

૧૫. પ્રશ્ન: ઓણમ તહેવાર કેવી રીતે ઉજવાય છે?

જવાબ: ઓણમ એ કેરલમાં ઉજવાતો 10દિવસનો મહત્ત્વનો તહેવાર છે. આ તહેવારમાં ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને ‘વલ્લમકાલી’ તરીકે ઓળખાતી નૌકા-સ્પર્ધા થાય છે, તેમજ ‘સાદિયા’ નામનું ભોજન લેવામાં આવે છે.

૧૬. પ્રશ્ન: દુર્ગાપૂજા તહેવારનું શું મહત્ત્વ છે?

જવાબ: પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે. દુર્ગાદેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી તરીકે આ ઉત્સવ કરવામાં આવે છે અને છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન કરી માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન કરવામાં આવે છે.

૧૭. પ્રશ્ન: પારસીઓનો પતેતી તહેવાર વિશે ટૂંકમાં જણાવો.

જવાબ: પતેતી એ પારસીઓનો મહત્ત્વનો તહેવાર છે, જે પારસી વર્ષના છેલ્લા પાંચ દિવસોમાં ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ દિવસોમાં તેઓ પોતાના દ્વારા થયેલ ભૂલચૂક કે પાપ માટે ‘અવેસ્તા’ નામના પ્રાર્થનાગ્રંથમાં આપેલા પસ્તાવવા માટેની પ્રાર્થના કરે છે.

૧૮. પ્રશ્ન: ચેટીચાંદનો તહેવાર કોણ ઉજવે છે?

જવાબ: ચેટીચાંદ એ સિંધી ભાઈ-બહેનોનો તહેવાર છે જે ચૈત્ર સુદ બીજના દિવસે નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ પોતાના ઇષ્ટદેવ ‘ઝૂલેલાલ’ની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ ‘તાહીરી’ (મીઠો ભાત) પ્રસાદ તરીકે વહેંચે છે.

૧૯. પ્રશ્ન: કથક નૃત્યનો વિકાસ કેવી રીતે થયો?

જવાબ: ‘કથક’ શબ્દ ‘કથા’ પરથી ઊતરી આવ્યો છે. પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ-આંદોલનના પ્રચારના કારણે ઉત્તર ભારતમાં કથકનો વિકાસ થયો, જેમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓ (રાસલીલા) નો સમાવેશ થતો.

૨૦. પ્રશ્ન: કથકલી નૃત્યની મુખ્ય વિશેષતાઓ કઈ છે?

જવાબ: કથકલી એ કેરલની નૃત્ય પરંપરા છે. આ નૃત્યમાં અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા ખૂબ મહત્ત્વની ગણાય છે, અને પાત્રો બોલતાં નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે.

૨૧. પ્રશ્ન: મણિપુરી નૃત્યના પ્રકારો જણાવી તેની વિશેષતા કહો.

જવાબ: મણિપુરી નૃત્યના બે પ્રકાર છે: લાસ્ય અને તાંડવ. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે.

૨૨. પ્રશ્ન: બિહુ નૃત્ય વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ: બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે, જે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ-પગનું હલનચલન તથા ગતિ અને સમૂહનિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

૨૩. પ્રશ્ન: ભરતનાટ્યમ્ નૃત્ય વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ: ભરતનાટ્યમ્ નો વિકાસ તમિલનાડુના તાંજોરમાં થયો હતો. ભરતમુનિ દ્વારા રચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વર રચિત ‘અભિનય દર્પણ’ આ શાસ્ત્રીય નૃત્યના આધારભૂત ગ્રંથો છે.

૨૪. પ્રશ્ન: લઘુચિત્રો કોને કહેવાય છે? તે શેના પર દોરવામાં આવતાં?

જવાબ: નાના કદના ચિત્રોને લઘુચિત્રો કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ ચિત્રો કાપડ, કાગળ, તાડપત્રો અને કાષ્ટ (લાકડા) પર દોરેલાં મળી આવ્યાં છે.

૨૫. પ્રશ્ન: કાંગડા શૈલીની ચિત્રકળાની વિશેષતાઓ શું છે?

જવાબ: વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડાશૈલીની ચિત્રકળાની વિશેષતા હતી. તેમાં ભાનુદત્તના પુસ્તક “રસમંજરી” માંથી પ્રેરણા લેવામાં આવી હતી.

૨૬. પ્રશ્ન: મુઘલકાળ દરમિયાન લઘુચિત્રોનો વિકાસ કોના સમયમાં થયો?

જવાબ: મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપી ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. આ સમય દરમિયાન મહાભારત, પંચતંત્ર અને “અકબરનામા” માં ખૂબ સુંદર લઘુચિત્રો દોરવામાં આવ્યા.

૨૭. પ્રશ્ન: રાજપૂતોની વીરતાભરી ગાથાઓ કોણ અને કેવી રીતે ગાતા હતા?

જવાબ: રાજપૂતોની શૂરવીરતા અને વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામીભક્તિ, મિત્રતા, પ્રેમ અને ક્રોધ વગેરે દર્શાવવામાં આવતાં.

૨૮. પ્રશ્ન: પીર એટલે શું? તેમની પરંપરામાં કોનો સમાવેશ થાય છે?

જવાબ: સૂફીવાદના મતે ધર્મ એટલે ‘ઈશ્વર પ્રત્યેનો પ્રેમ’ અને ‘માનવતાની સેવા’ અને તેમના માર્ગદર્શકને ‘પીર’ તરીકે ઓળખવામાં આવતા. આ પરંપરામાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિસ્તીનો સમાવેશ થાય છે.

૨૯. પ્રશ્ન: પાળિયા કોને કહેવાય છે?

જવાબ: દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે, તેને પાળિયા કહેવામાં આવે છે.

૩૦. પ્રશ્ન: ગુજરાતમાં કયા-કયા જાણીતા મેળાઓ ભરાય છે? કોઈ પણ ચાર નામ આપો.

જવાબ: ગુજરાતમાં તરણેતરનો મેળો (સુરેન્દ્રનગર), વૌઠાનો મેળો (અમદાવાદ), ભવનાથનો મેળો (જૂનાગઢ) અને શામળાજીનો મેળો (અરવલ્લી) વગેરે જાણીતા મેળાઓ ભરાય છે.

પ્રશ્ન ક્રમાંક 4 પ્રકરણ 9: “અઢારમી સદીના રાજકીય શાસકો” માંથી પૂછાશે. કુલ 2 નિબંધાત્મક પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 4 ગુણ) = કુલ 08 ગુણ

■ નીચેના પ્રશ્નોના સવિસ્તાર (નિબંધાત્મક) ઉત્તર આપો (દરેક પ્રશ્નના 4 ગુણ):

૧. મુઘલ સામ્રાજ્યના પતન સમયના અંતિમ શાસકો અને તેમની નીતિઓ વિશે સવિસ્તાર માહિતી આપો.

જવાબ: ઈ.સ. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ ગાદી પર અનેક શાસકો આવ્યા, જેમણે મુઘલ સામ્રાજ્યના પતનમાં ભાગ ભજવ્યો:
  • બહાદુરશાહ: ઔરંગઝેબ પછી ગાદીએ આવેલા બહાદુરશાહે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા, જોકે તેણે મરાઠાઓ વચ્ચે વારસા-વિગ્રહ પણ કરાવ્યો. તેના સમયમાં શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો.
  • જહાંદરશાહ અને ફર્રુખસિયર: ઈ.સ. 1712 માં બહાદુરશાહના અવસાન બાદ જહાંદરશાહ ગાદી પર આવ્યો. 1713 માં તેને ઉથલાવીને ફર્રુખસિયર ગાદીએ બેઠો. આ સમયે સામ્રાજ્યમાં વર્ચસ્વ ધરાવતા 'સૈયદબંધુઓ' (કિંગમેકર) દ્વારા ફર્રુખસિયરને ગાદી પરથી ઉઠાડી મહંમદશાહને બાદશાહ બનાવવામાં આવ્યો.
  • મહંમદશાહ: તેણે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં ઈ.સ. 1739માં ઈરાનના નાદીરશાહે ભારત પર આક્રમણ કર્યું, જેનાથી મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો પડ્યો.
  • શાહઆલમ બીજો: ઈ.સ. 1759માં ગાદી પર આવેલ શાહઆલમ બીજાને અંગ્રેજોએ બકસરના યુદ્ધમાં (1764) હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો.

૨. બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના અને બ્રિટિશ સત્તાના ઉદય વિશે વિસ્તૃત નોંધ લખો.

જવાબ:
  • મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ બંગાળમાં મુઘલ સત્તાથી અલગ થઈ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી.
  • ઈ.સ. 1757માં સિરાજ-ઉદ્-દૌલા બંગાળનો નવાબ બન્યો. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે 1757 માં ઐતિહાસિક 'પ્લાસીનું યુદ્ધ' થયું.
  • આ યુદ્ધમાં નવાબની હાર થઈ અને બંગાળમાં અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી.
  • પ્લાસીના યુદ્ધ બાદ નવાબ બનેલા મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીરકાસીમને નવાબ બનાવ્યો.
  • મીરકાસીમે અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમ બીજાનો સાથ મેળવીને અંગ્રેજો સામે ઈ.સ. 1764 માં 'બકસરનું યુદ્ધ' કર્યું.
  • આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થતાં બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ સત્તાનો પાયો નખાયો.

૩. રાજપૂત શાસક સવાઈ જયસિંહની સિદ્ધિઓ અને તેમના સુધારાઓ વિશે સવિસ્તાર જણાવો.

જવાબ:
  • મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
  • જયપુરના રાજા સવાઈ જયસિંહ એક કુશાગ્ર રાજનેતા, મોટા સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાનપ્રેમી શાસક હતા.
  • તેમણે પોતાના નામ પરથી 'જયપુર' શહેરની સ્થાપના કરી હતી.
  • તેઓ માત્ર એક રાજા જ નહિ, પરંતુ એક મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. ખગોળશાસ્ત્રના વિકાસ માટે તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓ (જંતર-મંતર) ની સ્થાપના કરી હતી.
  • તેમના સમયમાં જયપુર ઉપરાંત જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિરોહી વગેરે અન્ય અગત્યનાં રાજપૂત રાજ્યો હતાં.

૪. શીખ સામ્રાજ્યના વિકાસમાં રણજીતસિંહનો ફાળો વર્ણવી, તેમની નીતિઓ વિશે નોંધ લખો.

જવાબ:
  • 15મી સદીમાં ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી અને 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી શીખો 12 સમૂહમાં (મિસલ) વિભાજિત હતા.
  • આ 12 સમૂહો પૈકીના 'સુક્રરચકિયા' સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિશાળ વિકાસ કર્યો.
  • તેમણે લાહોર, અમૃતસર, કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવીને શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો.
  • નીતિઓ અને સુધારા: રણજીતસિંહે પોતાની સેનાને યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની મદદથી યુરોપિયન સૈન્યની જેમ અતિ આધુનિક બનાવી. તેમણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું.
  • તેઓ ધાર્મિક રીતે અત્યંત ઉદાર નીતિ ધરાવતા હતા. જોકે, તેમના મૃત્યુ બાદ ઈ.સ. 1849 માં અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.

૫. મરાઠા સામ્રાજ્યના નિર્માણમાં છત્રપતિ શિવાજી મહારાજના શાસન અને તેમની નીતિઓની વિશેષતાઓ જણાવો.

જવાબ:
  • 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્થાન અગ્રગણ્ય છે. તેમણે બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝોને હંફાવીને એક સ્વતંત્ર મરાઠા રાજ્યનું નિર્માણ કર્યું હતું.
  • યુદ્ધ નીતિ: છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં 'છાપામાર યુદ્ધપદ્ધતિ' (Guerrilla Warfare) અપનાવી હતી, જે ખૂબ જ સફળ રહી.
  • વહીવટી નીતિ: તેમણે સ્વતંત્ર રાજ્ય માટે એક કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી.
  • આ સિદ્ધિઓની સાથે શિવાજી મહારાજનું ઉચ્ચ ચારિત્ર્ય અને તેમની ઉદાર ધાર્મિક નીતિઓ મરાઠા સામ્રાજ્યની શક્તિનો મુખ્ય આધાર હતી.

૬. પેશ્વા શાસકો (બાલાજી વિશ્વનાથ અને બાજીરાવ પહેલા) ની સિદ્ધિઓનું વર્ણન કરો.

જવાબ: શિવાજી મહારાજના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો, તેના છૂટ્યા બાદ પેશ્વા પ્રથાની શરૂઆત થઈ.
  • બાલાજી વિશ્વનાથ: તેઓ પ્રથમ પેશ્વા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી.
  • બાજીરાવ પહેલો: ઈ.સ. 1720 માં બાલાજી વિશ્વનાથના અવસાન બાદ તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશ્વા બન્યા. તેઓ એક કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા.
  • તેમની નીતિ વિસ્તારવાદી હતી. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લઈ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા.
  • તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો અને મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું.

૭. પાણીપતના ત્રીજા યુદ્ધનાં કારણો અને પરિણામોની વિસ્તૃત ચર્ચા કરો.

જવાબ:
  • બાજીરાવ પહેલાના અવસાન બાદ ઈ.સ. 1740 માં બાલાજી બાજીરાવ પેશ્વા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસુર સુધીના વિસ્તારો પર વિજયો પ્રાપ્ત કર્યા હતા.
  • કારણ: ઈ.સ. 1761 માં ઈરાનના શાહ અહમદશાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. આ વિદેશી આક્રમણને રોકવા માટે મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે ઐતિહાસિક 'પાણીપતનું ત્રીજું યુદ્ધ' થયું.
  • પરિણામ: આ ભયંકર યુદ્ધમાં મરાઠા રાજ્યની હાર થઈ. હારના આઘાતજનક સમાચાર મળતાં પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.
  • આ યુદ્ધે શક્તિશાળી મરાઠા સામ્રાજ્યને નિર્બળ બનાવી દીધું, જેના પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનો માર્ગ મોકળો થયો.

૮. અઢારમી સદીના રાજસ્થાનના મુખ્ય રાજપૂત રાજ્યો વિશે માહિતી આપો.

જવાબ:
  • અઢારમી સદીમાં મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં રાજપૂત રાજ્યોનું વર્ચસ્વ જોવા મળતું હતું.
  • આ સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં જયપુર રાજ્ય સૌથી શક્તિશાળી અને અગત્યનું રાજ્ય ગણાતું હતું.
  • જયપુર રાજ્યના પ્રતાપી રાજા સવાઈ જયસિંહે જયપુર શહેર વસાવ્યું હતું અને તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી તથા કાયદાવિદ હતા.
  • જયપુર ઉપરાંત રાજસ્થાનના અન્ય અગત્યના રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને શિરોહી વગેરે રાજ્યોનો સમાવેશ થતો હતો અને તેઓ પણ પોતાનું આગવું મહત્ત્વ ધરાવતા હતા.
પ્રશ્ન ક્રમાંક 5 પ્રકરણ13: “આપત્તિ-વ્યવસ્થાપન” માંથી પૂછાશે. કુલ 4 ટૂંકજવાબી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 2 ગુણ) = કુલ 08 ગુણ

■ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (દરેક પ્રશ્નના 2 ગુણ):

૧. પ્રશ્ન: આપત્તિઓને મુખ્યત્વે કેટલા અને કયા-કયા ભાગમાં વહેંચવામાં આવે છે? ઉદાહરણ આપો.

જવાબ: આપત્તિઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે:
(૧) કુદરતી આપત્તિઓ: ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, ત્સુનામી, વાવાઝોડું વગેરે.
(૨) માનવસર્જિત આપત્તિઓ: આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ-વિસ્ફોટ, માર્ગ અકસ્માત અને હુલ્લડ વગેરે.

૨. પ્રશ્ન: કુદરતી આપત્તિઓ પૈકી કઈ આપત્તિઓની પૂર્વ આગાહી કરી શકાય છે અને કઈ આપત્તિઓની નહિ?

જવાબ: પૂર, ત્સુનામી, વાવાઝોડું અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓની પૂર્વ આગાહી શક્ય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી.

૩. પ્રશ્ન: ભૂકંપ કોને કહે છે? કયા વિસ્તારોમાં ભૂકંપની સંભાવના વધુ હોય છે?

જવાબ: સામાન્ય રીતે પૃથ્વીસપાટીના કંપવાને ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે.

૪. પ્રશ્ન: ભૂકંપના સમયે કઈ-કઈ સાવચેતી રાખવી જોઈએ (શું કરવું)?

જવાબ: ભૂકંપ સમયે નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
(૧) વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું.
(૨) વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું.
(૩) સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા.

૫. પ્રશ્ન: ભૂકંપના સમયે કઈ બાબતો ન કરવી જોઈએ?

જવાબ: ભૂકંપ સમયે નીચેની બાબતો ન કરવી જોઈએ:
(૧) રઘવાયા થઈ બૂમાબૂમ ન કરવી.
(૨) ઊંચા મકાનમાંથી નીચે ઊતરવા લિફ્ટનો ઉપયોગ ન કરવો.
(૩) ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતાં ઉપકરણો ચાલુ ન કરવાં.

૬. પ્રશ્ન: વાવાઝોડું એટલે શું? ભારતમાં તેની અસર ક્યાં જોવા મળે છે?

જવાબ: વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે, જેને વાવાઝોડું કે ચક્રવાત કહે છે. ભારતના પૂર્વતટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે.

૭. પ્રશ્ન: વાવાઝોડા પહેલાં કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ:
(૧) સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવી.
(૨) તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જવું.
(૩) દરિયાની નજીક નીચાણવાળાં ક્ષેત્રોમાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું.
(૪) ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો અને જરૂરી દવાઓ તૈયાર કરી લેવી.

૮. પ્રશ્ન: ત્સુનામી કોને કહે છે?

જવાબ: સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતાં વિનાશક મોજાં 'ત્સુનામી' કહેવાય છે. ટૂંકમાં, ભૂકંપીય સાગર-મોજાં ત્સુનામી તરીકે ઓળખાય છે.

૯. પ્રશ્ન: ત્સુનામી દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ:
(૧) ઊંચાણવાળી જગ્યા ન છોડવી.
(૨) ત્સુનામી જોવાનો પ્રયત્ન ન કરવો.
(૩) તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરવી.
(૪) કિનારાનાં ઊંચાં મકાનો પણ આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ન જવું.

૧૦. પ્રશ્ન: પૂર એટલે શું? પૂર આવવા માટે કયાં કારણો જવાબદાર છે?

જવાબ: એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળનિકાલના માર્ગોમાં અવરોધ જેવાં માનવસર્જિત કારણો પણ જવાબદાર છે.

૧૧. પ્રશ્ન: પૂર બાદ કઈ કાળજી લેવી જોઈએ?

જવાબ:
(૧) પૂરમાં પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો.
(૨) પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લેવું.
(૩) રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ન જવું.
(૪) સાપ કે વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહેવું.

૧૨. પ્રશ્ન: દુષ્કાળ કોને કહેવાય? તેનાથી શી સમસ્યા સર્જાય છે?

જવાબ: જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ન વરસે ત્યારે અછતની સ્થિતિ ઉદ્ભવે છે, તેને દુષ્કાળ કહે છે. આ સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્યો માટે અનાજની તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે.

૧૩. પ્રશ્ન: દુષ્કાળથી બચવા કે અસરો ઓછી કરવા દુષ્કાળ પહેલાં કયાં પગલાં લેવા જોઈએ?

જવાબ:
(૧) પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું અને ટપક સિંચાઈનો પ્રચાર કરવો.
(૨) અનાજમાં માપબંધી દાખલ કરવી.
(૩) અનાજનો બગાડ અટકાવવા ભોજન-સમારંભો પર પ્રતિબંધ મૂકવો.

૧૪. પ્રશ્ન: આપત્તિની માનવજીવન પર થતી કોઈ પણ બે/ત્રણ અસરો જણાવો.

જવાબ:
(૧) ભૂકંપ, પૂર, ત્સુનામી, વાવાઝોડું જેવી આપત્તિમાં ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન થાય છે.
(૨) આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો અને જાહેર સગવડનાં મકાનો ફરીથી બાંધતાં વર્ષો નીકળી જાય છે.
(૩) પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે.

૧૫. પ્રશ્ન: માર્ગ સલામતી માટે રસ્તા પર ચાલતી વખતે શું કરવું જોઈએ?

જવાબ:
(૧) રસ્તા પર ફૂટપાથ હોય તો રસ્તાની કોઈપણ બાજુએ ફૂટપાથ પર ચાલવું. જો ફૂટપાથ ન હોય તો રસ્તાની જમણી બાજુએ ચાલવું.
(૨) રસ્તો પાર કરવા માટે ઝીબ્રા ક્રોસિંગ, ફૂટ ઓવરબ્રિજ, અને સબ-વે નો ઉપયોગ કરવો.
(૩) નાની ઉંમરના બાળકોએ વડીલોની મદદથી રસ્તો ક્રોસ કરવો.

૧૬. પ્રશ્ન: માર્ગ સલામતી માટે વાહન ચલાવતી વખતે શું ન કરવું જોઈએ?

જવાબ:
(૧) ઉતાવળથી દોડીને તથા રેલિંગ કે ડિવાઈડર કૂદીને રસ્તો ઓળંગવો જોઈએ નહિ.
(૨) વાહન ચલાવતી વખતે કોઈપણ પ્રકારના સ્ટંટ કરવા જોઈએ નહિ.
(૩) કારમાં સીટ બેલ્ટ અને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવું જોઈએ નહિ.

૧૭. પ્રશ્ન: ટ્રાફિક સંકેતોના મુખ્ય પ્રકાર કયા-કયા છે?

જવાબ: ટ્રાફિક સંકેતોના મુખ્ય ત્રણ પ્રકાર છે:
(૧) ફરજિયાત સંકેત (સામાન્ય રીતે ગોળ આકારમાં)
(૨) સાવધાનીદર્શક સંકેત (સામાન્ય રીતે ત્રિકોણ આકારમાં)
(૩) માહિતીદર્શક સંકેત (સામાન્ય રીતે લંબ-ચોરસ આકારમાં).

૧૮. પ્રશ્ન: તીડ પ્રકોપ (જૈવિક આપત્તિ) વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ: તીડ એ કીટક વર્ગમાં આવે છે. ગુજરાતમાં રણવિસ્તારમાં જોવા મળેલાં તીડ 'રણતીડ' કે 'ખાઉધરાં તીડ' નામે ઓળખાય છે. આ પ્રજાતિનાં તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે અને ખેતીપાકોનો સફાયો કરી મૂકે છે, જેથી અનાજનો દુષ્કાળ સર્જાઈ શકે છે.

૧૯. પ્રશ્ન: તીડના ઉપદ્રવને કેવી રીતે અટકાવી શકાય?

જવાબ: તીડનો નાશ કરવા માટે ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાઓનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે, અને પાકને બચાવી શકાય છે.

૨૦. પ્રશ્ન: વાવાઝોડા દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ: વાવાઝોડા દરમિયાન નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ:
(૧) ચેતવણી મળતાં જ બધાં બારી-બારણાં બંધ કરી દેવાં.
(૨) જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળવું.
(૩) જો વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ અને દરિયાથી દૂર વાહન ઊભું રાખી તેની અંદર રહેવું.

૨૧. પ્રશ્ન: વાવાઝોડા બાદ (પછી) શું સાવચેતી રાખવી જોઈએ?

જવાબ:
(૧) હવામાન સાફ થઈ જાય કે પવન બંધ હોય તોપણ બહાર ન જવું, કારણ કે અચાનક પવન અને વરસાદ આવી શકે છે.
(૨) રસ્તા પર લટકતા કે તૂટેલા ખુલ્લા વાયરોથી દૂર રહેવું.
(૩) તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું.

૨૨. પ્રશ્ન: ત્સુનામી પહેલાં કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ:
(૧) ત્સુનામીની ચેતવણી મળતા જ સમુદ્રકિનારાથી દૂર ખસી જવું.
(૨) રેડિયો કે ટીવી પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું.
(૩) સમુદ્રનાં મોજાં અસાધારણ ઊછળે કે વિચિત્ર અવાજો આવે, તો તે પૂર્વ ચેતવણીના સંકેતો છે, તેથી તરત કિનારાથી દૂર જતા રહેવું.

૨૩. પ્રશ્ન: પૂર પહેલાં અને પૂર દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ:
  • પૂર પહેલાં: સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહેવું અને ઊંચા વિસ્તારોની માહિતી રાખી ત્યાં સ્થળાંતર કરવું.
  • પૂર દરમિયાન: ઘરનાં ગેસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવાં. જો તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત બહાર નીકળી જવું અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહની બહાર નીકળવા પ્રયત્ન કરવો.

૨૪. પ્રશ્ન: દુષ્કાળ દરમિયાન કયાં પગલાં લેવાં જોઈએ?

જવાબ: દુષ્કાળની પરિસ્થિતિમાં નીચે મુજબનાં પગલાં લેવાં જોઈએ:
(૧) લોકોને રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી.
(૨) તાકીદ સિવાયનાં નવાં બાંધકામ બંધ રાખવાં.
(૩) અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં.

૨૫. પ્રશ્ન: આપત્તિઓની વિનાશક અસરો ઓછી કરવા માટે શું કરી શકાય?

જવાબ: આપત્તિની વિનાશક અસરો ઓછી કરવા માટે અગમચેતી દાખવવી, સાવચેતી રાખવી, લોકજાગૃતિ કેળવવી અને તંત્રને સજ્જ કરવા જેવાં પગલાં ભરી શકાય. તેમજ આપત્તિ સમયે ખોટી અફવાઓ ફેલાવવી નહિ અને લોકોએ રાહત અને બચાવકાર્યમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ.

પ્રશ્ન ક્રમાંક 6 પ્રકરણ 14: “સંસાધનનું જતન અને સંરક્ષણ” માંથી પૂછાશે. કુલ 2 નિબંધાત્મક પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 3 ગુણ) = કુલ 06 ગુણ

■ નીચેના પ્રશ્નોના સવિસ્તાર (નિબંધાત્મક) ઉત્તર આપો (દરેક પ્રશ્નના 3 ગુણ):

૧. પ્રશ્ન: જળ-સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન માટે કયા-કયા ઉપાયો કરવા જોઈએ?

જવાબ: જળ એ આપણી સહિયારી સંપદા છે. તેની જાળવણી માટે નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ:
  • વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ અને ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.
  • નદીઓના પાણીને રોકીને જળ-સંચયન કરવું જોઈએ.
  • વરસાદના પાણીને રોકીને એકઠું કરવા માટે બંધારા તૈયાર કરવા, શોષકૂવા બનાવવા અને ખેત-તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ.
  • લોકોમાં જાગૃતિ લાવીને જળ-સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી જોઈએ.
  • બાગ-બગીચા અને શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
  • જળાશયો અને નદીઓને પ્રદૂષણથી બચાવવા જોઈએ.
  • ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ.

૨. પ્રશ્ન: જંગલોનું આર્થિક અને પર્યાવરણીય મહત્ત્વ સવિસ્તાર સમજાવો.

જવાબ: જંગલોનું મહત્ત્વ નીચે મુજબ છે:
આર્થિક મહત્ત્વ:
  • જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડાં તરીકે ફર્નિચર બનાવવા કામ લાગે છે.
  • દેવદાર અને ચીડનાં લાકડામાંથી રમતગમતનાં સાધનો બને છે.
  • વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયૉન વગેરે બનાવી શકાય છે.
  • જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે મળે છે અને તે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે.
પર્યાવરણીય મહત્ત્વ:
  • જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે.
  • તે વધુ વરસાદ લાવવામાં અને ભૂમિગત જળને ટકાવી રાખવામાં ઉપયોગી છે.
  • જંગલો જમીનનું ધોવાણ થતું અટકાવે છે.
  • વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સમતુલન જાળવવામાં મદદ કરે છે.

૩. પ્રશ્ન: વન-સંરક્ષણ (જંગલોના રક્ષણ) માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ?

જવાબ: વન-સંરક્ષણ માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ:
  • લોકોમાં પર્યાવરણ-શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવી જોઈએ.
  • વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું.
  • જંગલખાતાના કાર્યક્ષેત્રને વધુ ગુણવત્તાસભર બનાવવું.
  • પડતર જમીનમાં વધુને વધુ વૃક્ષારોપણ કરાવવું જોઈએ.
  • શાળામાં ઇકો-ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી.
  • વૃક્ષારોપણ અને વન-મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું.
  • 21મી માર્ચ (વિશ્વ વનદિન) અને 5મી જૂન (વિશ્વ પર્યાવરણ દિન) જેવા દિવસોની ઉજવણી કરવી.

૪. પ્રશ્ન: વન્યજીવ સંરક્ષણ માટે કયા કાયદાકીય અને વ્યવહારુ પગલાં લેવા જોઈએ?

જવાબ: વન્યજીવોના સંરક્ષણ માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
  • વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર-પ્રવૃત્તિને અટકાવવા કાયદાનો કડક અમલ કરવો.
  • જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરાવવી જોઈએ.
  • જંગલો વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ.
  • લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ.
  • જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા.
  • વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા અને તેમના માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ.
  • પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ.

૫. પ્રશ્ન: ભૂમિ-સંરક્ષણ એટલે શું? જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.

જવાબ:
ભૂમિ-સંરક્ષણ: ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી.
જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો: (૧) પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. (૨) જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. (૩) પાણીના પ્રવાહને રોકવા આડબંધ બાંધવા જોઈએ. (૪) જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. (૫) નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવાં. (૬) રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતાં પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. (૭) ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ.

૬. પ્રશ્ન: ખનીજ-સંરક્ષણ શા માટે જરૂરી છે? તેના સંરક્ષણ માટે શું કરી શકાય?

જવાબ:
ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસતિની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમ સીમાએ પહોંચ્યો છે, જેથી પેટ્રોલિયમ પદાર્થો જેવાં કેટલાંક ખનીજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. તેથી ખનીજ-સંરક્ષણ જરૂરી છે.
સંરક્ષણના ઉપાયો: (૧) ખનીજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ખનીજનું સંરક્ષણ એ એક પ્રકારની બચત જ છે. (૨) ખૂટી પડવાના આરે આવેલા ખનીજોનો યોગ્ય વિકલ્પ શોધવો જોઈએ. (૩) શક્ય હોય ત્યાં વપરાયેલાં ખનીજોનો પુનઃ ઉપયોગ (Recycling) થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ.

૭. પ્રશ્ન: ભારત અને ગુજરાતમાં લુપ્ત થતા વન્યજીવન વિશે સવિસ્તાર નોંધ લખો.

જવાબ:
  • ગુજરાતના જંગલોમાંથી 'વાઘ' અને ભારતના જંગલોમાંથી 'ચિત્તો' સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે.
  • વર્તમાન સમયમાં ભારતનાં જંગલોમાંથી કેટલાંક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ વગેરે લુપ્ત થવાના આરે છે.
  • આ ઉપરાંત ઘડિયાળ (મગર) અને ગંગેય ડોલ્ફિન જેવાં પ્રાણીઓ પણ લુપ્ત થવાના આરે છે.
  • ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી 'જળબિલાડી' પણ આજે સંકટમાં છે. આથી તેમનું સંરક્ષણ કરવું અત્યંત આવશ્યક બની ગયું છે.
પ્રશ્ન ક્રમાંક 7 પ્રકરણ 14: “સંસાધનનું જતન અને સંરક્ષણ” માંથી પૂછાશે. કુલ 6 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 1 ગુણ) = કુલ 06 ગુણ
(સૂચના: પરીક્ષામાં વિદ્યાર્થીઓને ભારતનો રેખાંકિત નકશો આપવામાં આવશે, જેમાં નીચે આપેલા વિશિષ્ટ પ્રદેશો, નદીઓ કે પર્વતમાળાઓ યોગ્ય સંજ્ઞા અને નામ સાથે દર્શાવવાના રહેશે. તૈયારી માટે પ્રશ્નો અને તેના નકશામાં યોગ્ય સ્થાન (જવાબ) નીચે મુજબ છે:)

■ વિભાગ ૧: રણપ્રદેશો અને વિશિષ્ટ પ્રદેશો (Deserts and Specific Regions)

૧. પ્રશ્ન: ભારતનું ઠંડું રણ (લદ્દાખ) દર્શાવો.

જવાબ (નકશામાં સ્થાન): ભારતના નકશામાં સૌથી ઉપર ઉત્તર ભાગમાં (જમ્મુ-કશ્મીરની પૂર્વ બાજુએ) દર્શાવવું.

૨. પ્રશ્ન: કચ્છનું રણ (નાનું અને મોટું રણ) દર્શાવો.

જવાબ: ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) છેડે પાકિસ્તાન બોર્ડર પાસે દર્શાવવું.

૩. પ્રશ્ન: 'બન્ની' વિસ્તાર ક્યાં આવેલો છે?

જવાબ: ગુજરાત રાજ્યના નકશામાં કચ્છ જિલ્લામાં દર્શાવવો.

૪. પ્રશ્ન: ભારતના નકશામાં 'નાના તિબેટ' તરીકે ઓળખાતો પ્રદેશ દર્શાવો.

જવાબ: 'નાના તિબેટ' એટલે લદ્દાખ. તેને ભારતના ઉત્તર છેડે દર્શાવવું.

■ વિભાગ ૨: નદીઓ અને પર્વતશ્રેણીઓ (Rivers and Mountains)

૫. પ્રશ્ન: નર્મદા નદી દર્શાવો.

જવાબ: મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતના મધ્ય-દક્ષિણ ભાગમાં વહીને ખંભાતના અખાતને મળતી રેખા દોરી દર્શાવવી.

૬. પ્રશ્ન: સાબરમતી નદી દર્શાવો.

જવાબ: ગુજરાતના મધ્ય ભાગમાં (ઉત્તરથી દક્ષિણ તરફ વહી ખંભાતના અખાતને મળતી) નદી દર્શાવવી.

૭. પ્રશ્ન: તાપી નદી દર્શાવો.

જવાબ: ગુજરાતમાં નર્મદા નદીની બરાબર નીચે (દક્ષિણે) સુરત પાસેથી વહેતી નદી દર્શાવવી.

૮. પ્રશ્ન: સિંધુ નદી દર્શાવો.

જવાબ: લદ્દાખ ક્ષેત્રમાંથી પસાર થઈને પશ્ચિમ તરફ વહેતી (પાકિસ્તાન તરફ જતી) ભારતના ઉત્તર ભાગમાં દર્શાવવી.

૯. પ્રશ્ન: કારાકોરમ પર્વતશ્રેણી દર્શાવો.

જવાબ: લદ્દાખની ઉત્તર દિશામાં ભારતના ટોચના ભાગે (સરહદ પાસે) પર્વતમાળાની સંજ્ઞા કરી દર્શાવવી.

૧૦. પ્રશ્ન: જાસ્કર પર્વતશ્રેણી દર્શાવો.

જવાબ: લદ્દાખની દક્ષિણ દિશામાં પર્વતમાળાની સંજ્ઞા કરી દર્શાવવી.

■ વિભાગ ૩: જંગલો, રાજ્યો અને વન્યજીવ આશ્રયસ્થાનો (Forests and Wildlife)

૧૧. પ્રશ્ન: ભારતમાં સૌથી વધુ જંગલો (૮૦% થી વધુ) ધરાવતો દ્વીપસમૂહ દર્શાવો.

જવાબ: અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ. ભારતના નકશામાં દક્ષિણ-પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરમાં આવેલા ટાપુઓ પર દર્શાવવું.

૧૨. પ્રશ્ન: કશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જ્યાં જોવા મળે છે તે રાજ્ય/પ્રદેશ દર્શાવો.

જવાબ: જમ્મુ-કશ્મીર (ભારતના ઉત્તર ભાગમાં લદ્દાખની પશ્ચિમે) દર્શાવવું.

૧૩. પ્રશ્ન: એકશિંગી ગેંડાનું નિવાસસ્થાન ધરાવતું રાજ્ય (અસમ) દર્શાવો.

જવાબ: ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં (પૂર્વોત્તર રાજ્યો / સેવન સિસ્ટર્સમાં) અસમ રાજ્ય દર્શાવવું.

૧૪. પ્રશ્ન: રોયલ બેંગાલ ટાઈગર (વાઘ) જ્યાં જોવા મળે છે તે પશ્ચિમ બંગાળ રાજ્ય દર્શાવો.

જવાબ: ભારતના પૂર્વ કાંઠે, બાંગ્લાદેશની પશ્ચિમે આવેલું રાજ્ય દર્શાવવું.

૧૫. પ્રશ્ન: એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન (ગીરનું જંગલ) દર્શાવો.

જવાબ: ગુજરાતના નકશામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં (જૂનાગઢ જિલ્લામાં) જંગલની સંજ્ઞા વડે દર્શાવવું.

૧૬. પ્રશ્ન: ભારતમાં ૬૦% થી વધુ જંગલ વિસ્તાર ધરાવતાં પૂર્વોત્તર રાજ્યો પૈકી કોઈ એક (મિઝોરમ, મણિપુર, ત્રિપુરા કે અરુણાચલ પ્રદેશ) દર્શાવો.

જવાબ: ભારતના છેક પૂર્વ-ઉત્તર છેડે આવેલા રાજ્યોમાંથી કોઈપણ એકને દર્શાવવું.

૧૭. પ્રશ્ન: ગુજરાતમાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું અભયારણ્ય (નળસરોવર) દર્શાવો.

જવાબ: ગુજરાત રાજ્યની મધ્યમાં (અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે) દર્શાવવું.

૧૮. પ્રશ્ન: લાલ પાંડા જ્યાં જોવા મળે છે તે હિમાલયનાં શીત વનો દર્શાવો.

જવાબ: ભારતના નકશામાં ઉત્તર અને ઉત્તર-પૂર્વની પર્વતીય સરહદ (હિમાલયની પટ્ટી) પર દર્શાવવાં.

૧૯. પ્રશ્ન: ગુજરાતમાં રીંછ જોવા મળે છે તેવા સરહદી વિસ્તારો (દાંતા, જેસોર, વિજયનગર અથવા રતનમહાલ) દર્શાવો.

જવાબ: ગુજરાતના નકશામાં ઉત્તર અને પૂર્વ સરહદ પર (બનાસકાંઠા, સાબરકાંઠા કે પંચમહાલ જિલ્લાની બોર્ડર પર) દર્શાવવા.

પ્રશ્ન ક્રમાંક 8 પ્રકરણ17: “જાતિગત ભિન્નતા” માંથી પૂછાશે. કુલ 8 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 1 ગુણ) = કુલ 08 ગુણ

■ બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. ભારતમાં પ્રથમ વખત વસ્તી-ગણતરી કયા વર્ષમાં હાથ ધરાઈ હતી? (A) 1871 (B) 1901 (C) 1951 (D) 2011

જવાબ: (A) 1871

૨. કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી-ગણતરી કરવામાં આવે છે? (A) 5 વર્ષે (B) 10 વર્ષે (C) 15 વર્ષે (D) 20 વર્ષે

જવાબ: (B) 10 વર્ષે

૩. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ભારતીય કાયદા મુજબ શું છે? (A) કાયદેસર (B) ગુનો (C) સામાન્ય બાબત (D) ફરજિયાત

જવાબ: (B) ગુનો

૪. વર્ષ 2011 ની વસ્તી-ગણતરી મુજબ ભારતમાં જાતિ-પ્રમાણ (પ્રતિ હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) કેટલું હતું? (A) 919 (B) 943 (C) 949 (D) 929

જવાબ: (B) 943

૫. વર્ષ 2011 ની વસ્તી-ગણતરી મુજબ ગુજરાતમાં જાતિ-પ્રમાણ કેટલું હતું? (A) 880 (B) 914 (C) 919 (D) 943

જવાબ: (C) 919

૬. ઈ.સ. 1901 માં ભારતમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? (A) 972 (B) 943 (C) 927 (D) 946

જવાબ: (A) 972

૭. બિહારમાં મહિલાઓએ કઈ બાબત માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? (A) દારૂબંધી કરાવવા માટે (B) શિક્ષણ મેળવવા માટે (C) પાણી માટે (D) નોકરી માટે

જવાબ: (A) દારૂબંધી કરાવવા માટે

■ ખાલી જગ્યા પૂરો:

૮. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે, આને _________ માન્યતા કહેવાય. જવાબ: રૂઢિગત

૯. ગાંધી બાપુની આગેવાનીમાં થયેલા વિવિધ આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાં _________ મહિલા આંદોલનોમાં જોડાયાં હતાં. જવાબ: કસ્તૂરબા

૧૦. ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ _________ માટે આંદોલન કરે છે. જવાબ: પાણી

૧૧. રાજ્ય સરકાર દ્વારા કન્યાઓને _________ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. જવાબ: ઉચ્ચ-શિક્ષણ

૧૨. વર્ષ _________ ની વસ્તી-ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીનાં બાળકોમાં છોકરા-છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. જવાબ: 2001

૧૩. સરકાર દ્વારા ભ્રૂણહત્યા અટકાવવા માટે _________ કાયદો બનાવ્યો છે. જવાબ: ભ્રૂણહત્યા-વિરોધી

■ ખરાં-ખોટાં જણાવો:

૧૪. આધુનિક સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ જ કરે છે, તેઓ અન્ય ક્ષેત્રોમાં જોવા મળતી નથી. જવાબ: ખોટું (તબીબ, ઈજનેર, વકીલ, વિમાનચાલક વગેરે ક્ષેત્રોમાં સમાન રીતે કામ કરે છે)

૧૫. ગુજરાતના શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓનું પ્રમાણ (જાતિ-પ્રમાણ) વધારે છે. જવાબ: ખરું (ગ્રામીણમાં 949 અને શહેરીમાં 880 છે)

૧૬. રમત-જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ અને વિજ્ઞાન જેવાં ક્ષેત્રોમાં મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. જવાબ: ખરું

૧૭. છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક અસમાનતા જોવા મળે છે. જવાબ: ખરું

■ એક-બે શબ્દોમાં / વાક્યમાં ઉત્તર આપો:

૧૮. મહિલા સશક્તીકરણ અંતર્ગત આધુનિક સમયમાં મહિલાઓએ કયા-કયા ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી છે?

જવાબ: રમત-જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં.

૧૯. વર્ષ 2011 ની વસ્તી-ગણતરી મુજબ ગુજરાતના શહેરી વિસ્તારમાં જાતિ-પ્રમાણ કેટલું હતું?

જવાબ: 880

૨૦. વર્ષ 2011 ની વસ્તી-ગણતરી મુજબ ગુજરાતના 0 થી 6 વર્ષની ઉંમરના બાળકોમાં જાતિ-પ્રમાણ કેટલું હતું?

જવાબ: 886

૨૧. છેલ્લી વસ્તી-ગણતરી કયા વર્ષમાં થઈ હતી?

જવાબ: 2011 માં

૨૨. આપણા દેશમાં સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધે તે માટે કોના દ્વારા વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે?

જવાબ: સરકાર દ્વારા

■ મને ઓળખો:

૨૩. પ્રશ્ન: મારી સાથે ગુજરાત સહિત દેશભરની અનેક મહિલાઓ ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનોમાં જોડાઈ હતી. હું કોણ છું?

જવાબ: કસ્તૂરબા

૨૪. પ્રશ્ન: મારા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. હું કયું રાજ્ય છું?

જવાબ: બિહાર

૨૫. પ્રશ્ન: મારા વર્ષમાં ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી-ગણતરી હાથ ધરવામાં આવી હતી. હું કયું વર્ષ છું?

જવાબ: વર્ષ ૧૮૭૧ (1871)

૨૬. પ્રશ્ન: ગર્ભમાં દીકરો છે કે દીકરી તેનું પરીક્ષણ કરવું એ મારા હેઠળ કાનૂની ગુનો ગણાય છે. હું કયો કાયદો છું?

જવાબ: ભ્રૂણહત્યા-વિરોધી કાયદો

■ યોગ્ય જોડકાં જોડો:

૨૭. વસ્તી-ગણતરીનાં વર્ષો અંગે યોગ્ય જોડકું જોડો:

અ (વિગત) બ (વર્ષ) જવાબ
(1) ભારતમાં પ્રથમ વસ્તી-ગણતરી(A) 2011(1) - (B)
(2) ભારતમાં છેલ્લી વસ્તી-ગણતરી(B) 1871(2) - (A)
(C) 1951

૨૮. વર્ષ 2011 ની વસ્તી-ગણતરી મુજબના જાતિ-પ્રમાણનું જોડકું જોડો:

અ (વિસ્તાર) બ (જાતિ-પ્રમાણ કુલ) જવાબ
(1) ભારતનું જાતિ-પ્રમાણ(A) 919(1) - (B)
(2) ગુજરાતનું જાતિ-પ્રમાણ(B) 943(2) - (A)
(C) 880

૨૯. ગુજરાતના વિવિધ જાતિ-પ્રમાણ (વર્ષ 2011) નું જોડકું જોડો:

અ (વિગત) બ (ગુજરાતનું જાતિ-પ્રમાણ) જવાબ
(1) શહેરી વિસ્તારનું જાતિ-પ્રમાણ(A) 886(1) - (B)
(2) 0 થી 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ(B) 880(2) - (A)
(C) 906

૩૦. મહિલા-આંદોલનો અંગે યોગ્ય જોડકું જોડો:

અ (આંદોલન) બ (કારણ / હેતુ) જવાબ
(1) બિહારની મહિલાઓનું આંદોલન(A) પાણી માટે(1) - (B)
(2) ઉનાળામાં ક્યારેક શહેરી મહિલાઓનું આંદોલન(B) દારૂબંધી માટે(2) - (A)
(C) શિક્ષણ માટે
પ્રશ્ન ક્રમાંક 9 પ્રકરણ 18: “સંચાર-માધ્યમ અને જાહેરાત” માંથી પૂછાશે. કુલ 3 નિબંધાત્મક પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 3 ગુણ) = કુલ 09 ગુણ

■ નીચેના પ્રશ્નોના સવિસ્તાર (નિબંધાત્મક) ઉત્તર આપો (દરેક પ્રશ્નના 3 ગુણ):

૧. પ્રશ્ન: જાહેરાતના ફાયદા અને ગેરફાયદા જણાવો.

જવાબ: જાહેરાતના ફાયદા અને ગેરફાયદા નીચે મુજબ છે:
ફાયદાઓ:
(૧) વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને ગ્રાહક સરળતાથી જાણી શકે છે.
(૨) વસ્તુની સામાન્ય માહિતી ગ્રાહક કે વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે.

ગેરફાયદાઓ:
(૧) જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ મોટો ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે.
(૨) જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે, તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે.
(૩) જાહેરાતના આધારે વસ્તુ ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ.
(૪) ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક મનમાં ક્ષોભ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી.
(૫) જાહેરાતોના કારણે સમાજમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે.

૨. પ્રશ્ન: જાહેરાતથી આપણે કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?

જવાબ: જાહેરાતથી આપણે નીચે મુજબની સાવધાની રાખવી જોઈએ:
  • ખોટી કે લોભામણી જાહેરાતોથી હંમેશાં સાવધાન રહેવું જોઈએ.
  • ચિત્ર, પોસ્ટર અથવા વિડિયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની યોગ્ય ચકાસણી કરી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક (ખરાબ) અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહિ.
  • જો આવી કોઈ અયોગ્ય જાહેરાત ધ્યાનમાં આવે તો તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું જોઈએ.

૩. પ્રશ્ન: લોકશાહી રાષ્ટ્રોમાં જાહેરાતનું શું મહત્ત્વ છે?

જવાબ: લોકશાહી રાષ્ટ્રોમાં જાહેરાતનું મહત્ત્વ ઘણું છે, જે નીચે મુજબ છે:
  • લોકશાહીમાં લોકકલ્યાણ કેન્દ્રસ્થાને છે. જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે.
  • લોકોપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે અન્ય બાબતોની માહિતી જાહેરાતોના માધ્યમથી સરકાર લોકો સુધી પહોંચાડે છે.
  • શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, કુરિવાજો અને અંધવિશ્વાસનું ખંડન, બાળલગ્નની પ્રથા જેવી બાબતોની જાગૃતિ જાહેરાતનાં માધ્યમથી થાય છે, જેથી લોકશાહી પરિપક્વ બને છે.
  • સરકાર દ્વારા આરોગ્યવિષયક, જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહી પોષક પરિબળોને જાહેરાતના માધ્યમ દ્વારા ઉજાગર કરે છે.
  • લોકશાહીનાં તત્ત્વો જેવા કે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના ખ્યાલો જાહેરાતો મારફતે દૃઢ થાય છે.

૪. પ્રશ્ન: સંચાર-માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? (અથવા સંચાર-માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ સમજાવો)

જવાબ: આપણે સંચાર-માધ્યમોનો ઉપયોગ વિવેકપૂર્ણ અને યોગ્ય રીતે કરવો જોઈએ:
  • પ્રદૂષણ, પાણી-સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ.
  • ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દૃશ્ય પણ ટેલિવિઝન ઉપર જોવા મળે છે જેની સમાજ પર વિપરીત અસર થાય છે, જે ટાળવું જોઈએ.
  • મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતાં હોય તેવા વિડિયો ન મૂકવા જોઈએ.
  • અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો જોઈએ.
  • મોબાઈલ ફોનના વધુ પડતા પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ પર વિપરીત અસર થાય છે, જેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

૫. પ્રશ્ન: લોકશાહીમાં સંચાર-માધ્યમો કેમ ઉપયોગી છે? સવિસ્તાર સમજાવો.

જવાબ: લોકશાહી દેશમાં સંચાર-માધ્યમો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે:
  • દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર-માધ્યમનું મહત્ત્વ વધી ગયું છે.
  • લોકોના જીવનધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવાં કાર્યો કરે છે તેની જાણકારી સંચાર-માધ્યમોથી સહેલાઈથી પહોંચાડી શકાય છે.
  • સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવાં કાર્યોની માહિતી સંચાર-માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
  • સરકારે કરેલાં કાર્યો અને કામગીરીમાં રહેલી ક્ષતિઓને વિરોધ પક્ષ સંચાર-માધ્યમો દ્વારા જ ઉજાગર કરે છે.
  • સરકાર સંચાર-માધ્યમો ઉપર દેખરેખ પણ રાખે છે અને સમાજ પર તેની કેવી અસર થશે તે જુએ છે.

૬. પ્રશ્ન: મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી વિવિધ સુવિધાઓ વિશે નોંધ લખો.

જવાબ: સંચાર-માધ્યમનું હાલનું સૌથી અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. તેના દ્વારા નીચે મુજબની સુવિધાઓ મળે છે:
  • મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે.
  • મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડિયો-ઑડિયો પ્લેયર, ટૉર્ચ, કૅલેન્ડર, કૅલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે.
  • તેનાથી આપણે રેલવે, બસ અને સિનેમાની ટિકિટ ઘરે બેઠા બુક કરાવી શકીએ છીએ.
  • મોબાઈલ ફોનની અંદર વપરાતા ઈન્ટરનેટની મદદથી આપણે ઘણી બધી શૈક્ષણિક અને અન્ય માહિતીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ.

૭. પ્રશ્ન: કૃત્રિમ ઉપગ્રહ (સેટેલાઇટ) નો ઉપયોગ અને તેનું મહત્ત્વ જણાવો.

જવાબ: સંચાર-માધ્યમ તરીકે માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે:
  • પૃથ્વી પરથી અવકાશમાં મૂકવામાં આવેલા આ ઉપગ્રહો દ્વારા રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી અને વિવિધ કાર્યક્રમો પૃથ્વી પરના કોઈપણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવાં સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે.
  • પૃથ્વીના પેટાળમાં છુપાયેલા પાણી અને ખનીજ ભંડારની માહિતી કૃત્રિમ ઉપગ્રહથી પ્રાપ્ત કરી શકાય છે.
  • આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણવા માટે તે ઉપયોગી છે.
  • દેશના સંરક્ષણક્ષેત્રે પણ કૃત્રિમ ઉપગ્રહ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

૮. પ્રશ્ન: ટપાલપદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ:
  • પહેલાંના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશા મોકલવામાં આવતા હતા, પરંતુ તેનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું, એમાંથી ટપાલ-પ્રથાનો જન્મ થયો.
  • ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ. સ. 1854માં થઈ હતી.
  • લોકો દૂર-દૂર રહેતા પોતાના સગાંસંબંધી, મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા.
  • આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર કે પરબીડિયું મોકલી શકીએ છીએ.
  • કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મનીઑર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ.

૯. પ્રશ્ન: ટેલિવિઝન અને રેડિયોની સંચાર-માધ્યમ તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરો.

જવાબ:
ટેલિવિઝન: ટેલિવિઝન એ આજનું સૌથી લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય (જોઈ અને સાંભળી શકાય તેવું) સંચાર-માધ્યમ છે. ઘરમાં રાખવામાં આવેલ ટી.વી. સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો અને શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. તે તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ (Live Telecast) જોવા માટે ખૂબ જ ઉપયોગી છે.

રેડિયો: રેડિયો એ માત્ર શ્રાવ્ય (સાંભળી શકાય તેવા) પ્રકારનું સંચાર-માધ્યમ છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમત-ગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ભજન અને વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. આ ઉપરાંત વરસાદ, પૂર કે ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ પણ રેડિયો દ્વારા કરવામાં આવે છે.

૧૦. પ્રશ્ન: જાહેરાતનાં સામાજિક મૂલ્યો વિશે સવિસ્તાર સમજાવો.

જવાબ:
  • આજના સમયમાં જાહેરાત એ આપણા સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મુખ્ય ભાગ બની ગઈ છે. આપણે જે જાહેરાત જોઈએ છીએ તેની ચર્ચા સમાજમાં પણ કરવામાં આવતી હોય છે.
  • સરકાર દ્વારા સમાજના ઉત્થાન માટે પણ વિવિધ જાહેરાતો કરવામાં આવે છે.
  • સમાજમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા 'બાળલગ્ન ન કરવાં', 'આરોગ્ય જાળવવું', 'વસતિ-નિયંત્રણ', 'દીકરીને શિક્ષણ આપો', અને 'બાળકોને કુપોષણથી બચાવો' વગેરે વિષયો પર જાહેરાતો આપવામાં આવે છે.
  • આમ, આવી લોકકલ્યાણકારી જાહેરાતોનો વિશેષ ફેલાવો કરીને સમાજમાં ખૂબ મોટી સામાજિક જાગૃતિ લાવી શકાય છે.
પ્રશ્ન ક્રમાંક 10 પ્રકરણ 19: “બજાર” માંથી પૂછાશે. કુલ 3 નિબંધાત્મક પ્રશ્નો પૂછાશે (પ્રશ્ન દીઠ 3 ગુણ) = કુલ 09 ગુણ

■ નીચેના પ્રશ્નોના સવિસ્તાર (નિબંધાત્મક) ઉત્તર આપો (દરેક પ્રશ્નના 3 ગુણ):

૧. પ્રશ્ન: ખેડૂતના ખેતરમાંથી કપાસનું ઉત્પાદન થઈને કાપડ (ખમીસ/શર્ટ) બનીને બજારમાં કેવી રીતે પહોંચે છે? (ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા સમજાવો.)

જવાબ: ખેતરમાંથી કપાસ ઉત્પાદન થઈને બજારમાં શર્ટ (ખમીસ) સ્વરૂપે નીચેની પ્રક્રિયાઓમાંથી પસાર થઈને પહોંચે છે:
  • સૌપ્રથમ ખેડૂત પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કરે છે અને કપાસ વીણીને તેનો સંગ્રહ કરે છે.
  • ત્યારબાદ ખેડૂત કપાસને માર્કેટિંગ યાર્ડમાં લાવીને તેનું વેચાણ કરે છે.
  • વેપારીઓ કપાસ ખરીદીને જિનિંગ ફેક્ટરીમાં મોકલે છે, જ્યાં કપાસને સાફ કરીને અને લોઢીને (કપાસિયા અલગ પાડીને) તેની રૂની ગાંસડીઓ બનાવવામાં આવે છે.
  • આ ગાંસડીઓ સ્પિનિંગ મિલમાં જાય છે જ્યાં દોરા કાંતવાનું કામ થાય છે. આ દોરા કાપડમિલમાં જાય છે જ્યાં વણાટકામ દ્વારા કાપડ તૈયાર થાય છે.
  • તૈયાર કાપડ ડાઈંગ મિલમાં કલર કરવા (રંગવા) જાય છે.
  • ત્યારબાદ સિલાઈ ફેક્ટરીમાં કાપડમાંથી અલગ-અલગ માપના શર્ટ (ખમીસ) કે પેન્ટ તૈયાર કરી, લેબલ લગાવીને બોક્સમાં પેક કરવામાં આવે છે.
  • અંતે આ તૈયાર વસ્ત્રો જથ્થાબંધ અને છૂટક વેપારીઓ મારફતે શો-રૂમ કે દુકાનોમાં પહોંચે છે, જ્યાંથી ગ્રાહકો તેની ખરીદી કરે છે.

૨. પ્રશ્ન: બજાર એટલે શું? બજારના વિવિધ પ્રકારો જણાવી તેમાં 'નિયંત્રિત બજાર' (APMC) વિશે માહિતી આપો.

જવાબ:
બજાર એટલે: ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. ટૂંકમાં, બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતાં હોય એવું સ્થળ.

બજારના પ્રકારો: (૧) મહોલ્લા બજાર, (૨) સાપ્તાહિક કે ગુજરી બજાર, (૩) મોટાં શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, (૪) નિયંત્રિત બજાર (APMC), અને (૫) ઓનલાઇન બજાર.

નિયંત્રિત બજાર (APMC): આઝાદી પછી ખેડૂતોનું ખેત-ઉત્પાદનના વેચાણમાં શોષણ થતું અટકાવવા સરકારે નિયંત્રિત બજાર (માર્કેટિંગ યાર્ડ) ની વ્યવસ્થા કરી છે. અહીં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. આ વ્યવસ્થાથી વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે, ભાવનિર્ધારણમાં પારદર્શિતા વધે છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળે છે.

૩. પ્રશ્ન: માલસામાનનું ઉત્પાદન અને તેના છૂટક વેચાણ (ગ્રાહક સુધી પહોંચવા) વચ્ચે કઈ સાંકળ જોડાયેલી હોય છે? સવિસ્તાર સમજાવો.

જવાબ:
  • ચીજવસ્તુઓનું ઉત્પાદન કારખાનાં, ગૃહઉદ્યોગો, ઘરો અને ખેતરોમાં થાય છે, પરંતુ આપણે ગ્રાહક તરીકે સીધા જ કારખાનાં કે ખેતરમાંથી ચીજવસ્તુઓ ખરીદતા નથી.
  • જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અને કારખાનાંના માલિકો પાસેથી ઉત્પાદિત થતો માલસામાન ખરીદે છે તેમને 'જથ્થાબંધ વેપારી' કહે છે.
  • આ જથ્થાબંધ વેપારીઓ આ માલસામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે.
  • આપણે જે દુકાનદાર કે નાના વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને 'છૂટક વેપારી' કહે છે.
  • આમ, ઉત્પાદક (ખેતર/કારખાના) -> જથ્થાબંધ વેપારી -> છૂટક વેપારી -> ગ્રાહક સુધી માલસામાન પહોંચાડવાની એક આખી સાંકળ બજારમાં કામ કરે છે.

૪. પ્રશ્ન: ઓનલાઇન બજાર (ઓનલાઇન શોપિંગ) વિશે વિસ્તૃત માહિતી આપો.

જવાબ:
  • હાલના સમયમાં ઓનલાઇન શોપિંગનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. બજારમાં ગયા વિના જ આપણે આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ.
  • ઓનલાઇન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી તેઓ વચેટિયાઓનો ખર્ચ બચાવી શકે છે અને ગ્રાહકને વધુ વળતર (ડિસ્કાઉન્ટ) આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે.
  • આ સિસ્ટમમાં ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, જેથી તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે.
  • જોકે, ઓનલાઇન ખરીદીમાં છેતરપિંડીનો ભય પણ રહેતો હોવાથી ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે.

૫. પ્રશ્ન: ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને કયા-કયા અધિકારો (હકો) મળેલા છે? સવિસ્તાર સમજાવો.

જવાબ: ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને નીચેના ૬ અધિકારો મળેલ છે:
  • (૧) સલામતીનો અધિકાર: વ્યક્તિના જીવન અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો કે સેવાઓ સામે રક્ષણ મેળવવાનો અધિકાર.
  • (૨) માહિતી મેળવવાનો અધિકાર: ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે જરૂરી તમામ માહિતી મેળવવાનો અધિકાર.
  • (૩) પસંદગી કરવાનો અધિકાર: વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાની અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર.
  • (૪) રજૂઆત કરવાનો અધિકાર: ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં પોતાની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર.
  • (૫) ફરિયાદ નિવારણનો અધિકાર: ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરપિંડીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું યોગ્ય વળતર મેળવવાનો અધિકાર.
  • (૬) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર: જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી મેળવવાનો અધિકાર.

૬. પ્રશ્ન: બજારમાંથી ખરીદી કરતી વખતે ગ્રાહકે કઈ-કઈ ફરજો (સાવચેતીઓ) અદા કરવી જોઈએ?

જવાબ: એક જાગૃત ગ્રાહકે ખરીદી વખતે નીચે મુજબની ફરજો અદા કરવી જોઈએ:
  • કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જી.એસ.ટી. (GST) વાળું પાકું બિલ માંગવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હંમેશાં 'ISI' માર્કાવાળી, અને સોના-ચાંદીના દાગીના 'હોલમાર્ક' વાળા જ ખરીદવા જોઈએ.
  • ખાદ્યપદાર્થો 'એગમાર્ક' (Agmark) કે 'fssai' લોગોવાળા જ ખરીદવા અને તેનું પેકિંગ, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, વજન વગેરે ચકાસીને ખરીદવા.
  • પેટ્રોલ કે સી.એન.જી. (CNG) પંપ પર મીટર ઝીરો થયા પછી જ ઈંધણ ભરાવવું જોઈએ.
  • દવાઓની ખરીદી વખતે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે કાળજીપૂર્વક એક્સપાયરી ડેટ તપાસી લેવી.
  • જો કોઈ લોભામણી જાહેરાતોથી છેતરાઈ જવાય તો તુરંત ગ્રાહક સુરક્ષા મંડળની હેલ્પલાઇન (1800 233 0222) પર ફરિયાદ કરવી જોઈએ.

૭. પ્રશ્ન: સાપ્તાહિક બજાર (ગુજરી બજાર) અને શોપિંગ મોલ વચ્ચેનો તફાવત (સમાનતાના સંદર્ભમાં) સમજાવો.

જવાબ:
સાપ્તાહિક બજાર (ગુજરી બજાર) શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ
1) આ બજાર અઠવાડિયામાં કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે. 1) મોટાં શહેરોમાં મોટી બિલ્ડીંગોમાં એકસાથે અનેક દુકાનો હોય છે તેને શોપિંગ મોલ કહે છે.
2) તેમાં નાના વેપારીઓ અને કારીગરો વસ્તુઓ વેચે છે. 2) અહીં મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચાય છે.
3) તેમને દુકાનનું ભાડું, વીજળી, વેરો કે કર્મચારીનો પગાર ચૂકવવો પડતો ન હોવાથી ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળી રહે છે. 3) વસ્તુઓ પર મોટો ખર્ચ અને જાહેરાત થતી હોવાથી આ વસ્તુઓ પ્રમાણમાં ખૂબ જ મોંઘી હોય છે.
4) અહીં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ ખરીદી કરે છે. 4) માત્ર આર્થિક રીતે સદ્ધર (અમીર) લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે.

આમ, બજારમાં આર્થિક સ્થિતિ અને પૈસાના આધારે સમાનતાનો અભાવ જોવા મળે છે.

૮. પ્રશ્ન: બજારમાં સમાનતા (Equality in the market) વિશે સવિસ્તાર સમજાવો.

જવાબ: આપણી આસપાસ વિવિધ પ્રકારના બજારો છે, પરંતુ તેમાં સમાનતા જોવા મળતી નથી.
  • વેપારીઓ વચ્ચે અસમાનતા: એક તરફ ગુજરી બજાર કે સાપ્તાહિક બજારમાં નાનો દુકાનદાર કે વેપારી ખૂબ ઓછું વળતર (નફો) મેળવે છે, જ્યારે બીજી તરફ મોટા શોપિંગ મોલમાં કે કોમ્પ્લેક્સમાં મોટો દુકાનદાર વધુ નફો કમાય છે.
  • ગ્રાહકો વચ્ચે અસમાનતા: ગ્રાહક તરીકે પણ આર્થિક સ્થિતિના આધારે સમાનતા નથી. ગરીબ લોકો તેમની મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વેચાતી સસ્તામાં મળતી માલસામાન પણ ખરીદી શકતા નથી. જ્યારે અમીર લોકો મોલમાં જઈને ઊંચી કિંમતની બ્રાન્ડેડ અને મોંઘી વસ્તુઓ ખરીદી શકે છે.
આમ, બજારમાં ખરીદનાર અને વેચનાર બંને વર્ગમાં પૈસા અને આર્થિક સ્થિતિના આધારે મોટી અસમાનતા જોવા મળે છે.

૯. પ્રશ્ન: ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે નક્કી કરેલ 'પ્રમાણિત ચીજવસ્તુની નિશાનીઓ (લોગો)' વિશે માહિતી આપો.

જવાબ: ગ્રાહક છેતરાય નહિ અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે તે માટે સરકારે વિવિધ માપદંડો અને માર્કા (નિશાનીઓ) નક્કી કર્યા છે:
  • ISI માર્કો: ઘર-વપરાશની અને વીજળીથી ચાલતી (ઇલેક્ટ્રોનિક્સ) વસ્તુઓ માટે 'આઈ.એસ.આઈ. (ISI)' નો માર્કો લગાવવામાં આવે છે.
  • હોલમાર્ક (Hallmark): સોના-ચાંદીના દાગીના અને આભૂષણોની શુદ્ધતા માટે 'હોલમાર્ક' ની નિશાની હોય છે.
  • વૂલમાર્ક (Woolmark): ઊનની બનાવટો અને ગરમ કપડાં માટે 'વૂલમાર્ક' નો ઉપયોગ થાય છે.
  • એગમાર્ક અને fssai: ખેત-પેદાશ અને ખાદ્યપદાર્થો માટે 'એગમાર્ક (Agmark)' તથા 'એફ.એસ.એસ.એ.આઈ. (fssai)' નો લોગો વાપરવામાં આવે છે.
  • શાકાહારી/માંસાહારી નિશાની: શાકાહારી ખાદ્યસામગ્રી પર લીલા રંગની (Green) અને માંસાહારી ખાદ્યસામગ્રી પર લાલ રંગની (Red) નિશાની કરવામાં આવે છે.

૧૦. પ્રશ્ન: મહોલ્લા બજાર (આપણી આસપાસની દુકાનો) ની વિશેષતાઓ અને ફાયદાઓ જણાવો.

જવાબ: મહોલ્લા બજાર એટલે કે આપણી આસપાસ કે શેરી-મહોલ્લામાં આવેલી દુકાનો. તેની વિશેષતાઓ નીચે મુજબ છે:
  • આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે, જેથી આપણે ત્યાં સરળતાથી જઈ શકીએ છીએ.
  • આપણે આપણી રોજિંદી ઉપયોગની વસ્તુઓ જેમ કે ડેરીમાંથી દૂધ-દહીં, કરિયાણાની દુકાનેથી તેલ-મસાલા, સ્ટેશનરીની દુકાનેથી પેન-નોટબુક, અને દવાની દુકાનેથી દવાઓ ખરીદીએ છીએ.
  • આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ત્યાંથી ખરીદી કરી શકીએ છીએ.
  • આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઓળખતા હોવાથી ઉધારથી પણ માલસામાનનું વેચાણ કરે છે.
  • આ બજારમાં ફેરિયાઓ પણ લારી કે રેંકડીઓમાં ફળ, શાકભાજી કે વાર-તહેવારે રમકડાં અને પતંગ વેચવા આવે છે.