સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 17 ન્યાયતંત્ : સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
-
ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય ?ફોજદારી દાવામાં ચોરી, લૂંટફાટ, ખૂન, અને મારામારી જેવી બાબતોનો સમાવેશ કરી શકાય છે.
-
સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય ?જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે.
-
આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ?આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
-
વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.
વડી અદાલત રાજ્યના ક્ષેત્રમાં સર્વોપરી છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપે છે. તેની સત્તા અને કાર્યો નીચે મુજબ છે:
- વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે.
- બંધારણની કલમ-226 અનુસાર, મૂળભૂત હકોના રક્ષણ માટે આદેશો અને હુકમો જારી કરી શકે છે.
- તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળે છે.
- તે તાબાની અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે અને તેમના માટે સામાન્ય નિયમો બનાવી કે સુધારી શકે છે.
- વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
-
લોકઅદાલતના ફાયદા જણાવો.
લોકઅદાલત એ ન્યાયને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કાર્યરત છે. તેના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે:
- લોકઅદાલતના માધ્યમથી ઘણા કેસોનું ઝડપી અને સુખદ સમાધાન થઈ જાય છે.
- તેનાથી નાગરિકો અને કોર્ટના સમય અને નાણાંની બચત થાય છે.
- લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે.
લોકઅદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતથી શરૂ થયો હતો અને તે કોર્ટમાં કેસોના ભારણને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
3. ખાલી જગ્યા પૂરો :
-
ન્યાયની દેવીએ પોતાના હાથમાં ............. અને ............. ધારણ કરેલ છે.ત્રાજવું, તલવાર
-
વડી અદાલતના ચુકાદા સામે ............. અદાલતમાં અપીલ કરી શકાય છે.સર્વોચ્ચ
-
ગુજરાત રાજ્યની વડી અદાલત ............. શહેરમાં છે.અમદાવાદ
-
આપણા દેશની સર્વોચ્ચ અદાલત ............. શહેરમાં છે.દિલ્લી