સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર - સ્વાધ્યાય
ધોરણ 6: સામાજિક વિજ્ઞાન
૧. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
૧) ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
જવાબ: (B) સારનાથ.
૨) ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
જવાબ: (C) કુશીનારા.
૩) મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
જવાબ: (A) ત્રિશલાદેવી.
૪) મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
જવાબ: (B) કુંડગ્રામ.
૫) મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
જવાબ: (B) પ્રાકૃત અને અર્ધમાગ્ધી.
૨. ટૂંકમાં ઉત્તર આપો:
૧) ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો?
જવાબ: ગૌતમ બુદ્ધે સંસારનાં દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો. તેમના મતે ચાર આર્ય સત્ય હતાં: સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતાં છે. તેમણે કર્મવાદને મહત્વ આપ્યું અને કહ્યું કે આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાનકાળમાં સદ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ. બુદ્ધે યજ્ઞમાં થતી પશુહિંસાનો વિરોધ કર્યો અને અહિંસાને સર્વોચ્ચ ગુણ ગણાવ્યો.
૨) મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો?
જવાબ: મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ પાંચ વ્રતો પર આધારિત હતો: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તેમણે માનવસમાજનું સૌથી મોટું દૂષણ હિંસાને ગણાવ્યું અને નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે તેમ જણાવ્યું. તેમણે ક્યારેય અસત્ય ન બોલવાનો, વિચાર્યા વિના ન બોલવાનો અને દરેક પરિસ્થિતિમાં સત્યનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો. ચોરીને સૌથી મોટું અનિષ્ટ ગણાવી તેમણે અસ્તેય (ચોરી ન કરવી)નો ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામીએ જરૂરિયાત કરતાં વધુ ચીજવસ્તુઓનો સંગ્રહ ન કરવાનો ઉપદેશ આપ્યો, જેને અપરિગ્રહ કહેવાય છે. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા પણ ખાસ જણાવ્યું હતું.
૩) જૈનધર્મે કયાં પાંચ મહાવ્રતો આપ્યાં?
જવાબ: જૈનધર્મે નીચેના પાંચ મહાવ્રતો આપ્યાં:
- અહિંસા: કોઈપણ પ્રકારની હિંસા કરવી નહીં, નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે.
- સત્ય: ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું નહીં અને દરેક પરિસ્થિતિમાં સત્યનું પાલન કરવું.
- અસ્તેય: કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી નહીં, એટલે કે ચોરી કરવી નહીં.
- અપરિગ્રહ: પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો નહીં.
- બ્રહ્મચર્ય: મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું.
૩. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
- (અ) બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
જવાબ: ખરું. - (બ) બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
જવાબ: ખોટું. બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો હતો. - (ક) બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
જવાબ: ખોટું. બુદ્ધને બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
૪. યોગ્ય ઉત્તર આપો:
૧) ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી?
જવાબ: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં ઘણી સમાનતા હતી. બંનેએ સમાજમાં વ્યાપેલા કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો. બંનેએ ઈશ્વરનો ઈન્કાર કર્યો હતો. બંનેએ પશુહિંસાની નિંદા કરી અને અહિંસાને મહત્વ આપ્યું. બંનેએ ઊંચ-નીચના ભેદભાવો અને જાતિપ્રથાનો વિરોધ કર્યો. બંને ઉપદેશકોએ સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. આ ઉપરાંત, બંનેએ લોકોની ભાષામાં સાદો અને સરળ ઉપદેશ આપ્યો હતો.
૨) ગૌતમ બુદ્ધના સમયમાં કયાં અનિષ્ટો જોવા મળતાં હતાં?
જવાબ: ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક-સુધારણાક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયાં, કારણ કે તે સમયે સમાજમાં અનેક અનિષ્ટો વ્યાપેલાં હતાં. ધર્મ અને સમાજમાં કુરિવાજો, સામાજિક અસમાનતા, અનૈતિક બાબતો અને કર્મકાંડનો વ્યાપ વધી ગયો હતો. હિંદુધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો, જેના કારણે ઊંચ-નીચના ભેદભાવો હતા. યજ્ઞમાં પશુહિંસા થતી હતી અને આત્માના કલ્યાણમાં રત રહેવાની ભાવના પ્રબળ હતી. આ અનિષ્ટોને દૂર કરવા માટે ગૌતમ બુદ્ધે આજીવન કાર્ય કર્યું.