ધોરણ 6: સામાજિક વિજ્ઞાન - ઇતિહાસ જાણવાના સ્ત્રોત : સ્વાધ્યાય

ધોરણ 6: સામાજિક વિજ્ઞાન - ઇતિહાસ જાણવાના સ્ત્રોત : સ્વાધ્યાય

૧. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

૧) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

જવાબ: (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ. પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ લખવા માટે કરતો હતો, જેને હસ્તપ્રત કહેવાય છે. ભોજપત્ર એટલે હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપ્રતો.

૨) નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?

જવાબ: (D) વાહનો. પ્રાચીન ઇતિહાસ જાણવા માટે અભિલેખો, તામ્રપત્રો, અને ભોજપત્રો જેવા સ્રોતોનો ઉપયોગ થાય છે. વાહનો ઇતિહાસ જાણવાનો સ્રોત નથી.

૩) નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

જવાબ: (A) અભિલેખો. અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ હોય છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે.


૨. ટૂંકમાં ઉત્તર આપો:

૧) B.C.નો અર્થ સમજાવો.

જવાબ: B.C. એટલે Before Christ. તેનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે, ઈ.સ. પૂર્વે ૨૦૦૦ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં ૨૦૦૦ વર્ષ. તેને ઘણીવાર BCE (Before Common Era) તરીકે પણ લખવામાં આવે છે.

૨) A.D.નો અર્થ સમજાવો.

જવાબ: A.D. એટલે Anno Domini. આ બે મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ 'In The Year Of God' એટલે કે ભગવાનના સમયનું વર્ષ થાય છે. તેનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૦૦ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં ૨૦૦૦ વર્ષ. તેને ઘણીવાર CE (Common Era) તરીકે પણ લખવામાં આવે છે.

૩) ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?

જવાબ: ભારતમાં ઈ.પૂ. ૫મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે. આ સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપીને બનાવાતા હતા.

૪) ઇતિહાસ જાણવાના સ્રોત કયા-કયા છે?

જવાબ: ઇતિહાસ જાણવા માટે ઘણાં જુદાં-જુદાં સાધનો છે. મુખ્ય સ્રોતોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • તાડપત્ર અને ભોજપત્ર: પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડના વૃક્ષના પર્ણ પર કે ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ પર હસ્તપ્રતો લખતો હતો.
  • અભિલેખો: ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ.
  • તામ્રપત્રો: તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ.
  • સિક્કા: જેના પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે.
  • પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને પ્રવાસીઓ: પુરાતત્ત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને અને પ્રવાસીઓ તેમના પ્રવાસવર્ણનો દ્વારા ઇતિહાસની માહિતી આપે છે.

૩. 'અ' વિભાગની વિગતો 'બ' વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો:

  • ૧) અભિલેખ - (e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ.
  • ૨) ભોજપત્ર - (c) ભૂર્જ નામના વૃક્ષની છાલ.
  • ૩) તામ્રપત્ર - (d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ.
  • ૪) B.C. - (a) ઈ.સ. પૂર્વે.
  • ૫) A.D. - (b) ઈસવીસન.